સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં કેટલાક લોકો બેઠા છે જ્યારે તેમની પાછળની દિવાલ પર ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભ ભાઈ પટેલ મહાત્મા ગાંધી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની તસવીર ટીંગાળેવી છે. તેના પર ફુલોની માળા ચઢાયેલી છે. હેરાન કરનારી વાત એ છે કે મોદી તેમજ યોગીની તસવીર પર પણ હાર ચઢાવી દેવાયો છે. આ જ કારણે આ ફોટો વાયરલ થઈ રહી છે.
15 ઓગસ્ટના અવસરે થઈ આ ભૂલ
જ્યારે ફોટોને ઝુમ કરી તો ખબર પડી કે આ તસવીર કાર્યાલય નગર પાલિકા પરિષદ બુલંદશહેરની છે. તસવીરમાં જે ટાવેલથી ઢંકાયેલી એક મોટી ખુરસી પર બેઠા જોવા મળે છે તે નગરપાલિકા ચેરમેન મનોજ ગર્ગ છે જે ભાજપમાંથી છે. 15 ઓગસ્ટે નગરપાલિકામાં એક કાર્યક્રમ થવાનો હતો ત્યારે દફ્તરમાં લગાવેલી તસવીરો પર ફુલહાર ચઢાવવામાં આવ્યા. એવામાં કોઈએ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીર પર પણ હાર ચઢાવી દીધો.
ફુલહાર ચઢાવનારા પર થશે કાર્યવાહી
જ્યારે તસવીર વાયરલ થવાની ખબર પડી તો અધિકારીઓ અને ચેયરમેને ત્યાંથી હાર ઉતરાવી લીધા. મીડિયા સાથે વાતચીતમાં નગરપાલિકાના ઈઓ એ જણાવ્યુ હતુ કે મામલે તપાસના આદેશ આપ્યા છે. ત્રણ દિવસમાં રિપોર્ટ આવી જશે. આવી ભૂલ કરનારાને છોડવામાં નહીં આવે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.