કોરોના વાયરસથી વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહિના માટે દેશભરમાં લોકડાઉન કરી દીધું છે. અમેરિકામાં કોરોના વાયરસના ચેપના એક લાખથી વધુ કેસ નોંધાયા છે અને 2000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. બધા આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો અમેરિકાને ચેતવણી આપી રહ્યા છે કે કોરોના વાયરસનું સૌથી ભયાનક સ્વરૂપ સામે આવવાનું હજી બાકી છે.
વિશ્વમાં કોરોનાએ મચાવ્યો આતંક
જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવેદન
1 લાખ સુધી મોતના આંકડા સીમિત રહે તો સમજો તંત્રએ યોગ્ય કામ કર્યું
વ્હાઇટ હાઉસમાં રવિવારે મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું કે, જો તેમની સરકાર મોતના આંકડા એક લાખ સુધી સીમિત રાખી શકે છે તો તેનો મતલબ છે કે વહીવટી તંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે કરી વાતચીત
ટ્રમ્પે અનેક અભ્યાસોમાં લગાવવામાં આવેલા અંદાજોનું ઉદાહરણ આપ્યું છે જેમાં સોશિયલ ડિસ્ટૈંસિંગ જેવા નિયમોનો અમલ ન કરવા પર 20 લાખ લોકોનો જીવ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું-જો અમે આ આંકડો 1 લાખ અથવા તેનાથી ઓછો કરી શકીએ છીએ તો સમજો કે કામ યોગ્ય રીતે થયું છે.
પહેલેથી જ ટ્રમ્પે નજરઅંદાજ કર્યો છે કોરોનાનો ભય
ટ્રમ્પનું આ નિવેદન થોડા દિવસો પહેલા તેમના સ્ટેન્ડથી સાવ જુદું છે. ખૂબ આશાવાદી દૃષ્ટિકોણ દર્શાવતા તેમણે કહ્યું કે ઇસ્ટર સુધીમાં તેમના દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવી જશે. ટ્રમ્પે શરૂઆતથી કોરોના વાયરસના જોખમને સતત ઓછો અંદાજ આપ્યો છે. ટ્રમ્પે લોકડાઉન વિશે પણ કહ્યું હતું કે કોરોના વાયરસની સમસ્યાથી વધારે ખરાબ તેનો ઇલાજ છે.
1 જૂન સુધીમાં બધુ ઠીક થઇ જવાની ટ્રમ્પે કરી વાત
સોમવાર, 30 માર્ચના રોજ યુ.એસ. માં 15 દિવસથી ચાલ્યું આવતું લોકડાઉન સમાપ્ત થવા જઇ રહ્યું છે. હવે તે વધારીને 30 એપ્રિલ કરવામાં આવી છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે 1 જૂન સુધીમાં બધું જ સામાન્ય થઈ જશે.
ટ્રમ્પે આશા વ્યક્ત કરી
ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, આવનારા 2 અઠવાડિયામાં મૃત્યુદર ચરમસીમાએ પહોંચવાની આશઁકા છે. 2400થી વધુ લોકોના મોત પહેલા જ થઇ ચૂક્યા છે. એવામાં જીત હાંસલ કર્યા પહેલા જ જીતનું એલાન કરવું સૌથી ખતરનાક છે. ટ્રમ્પે કહ્યું - અમે આશા કરીએ છીએ કે 1 જૂન સુધીમાં રિકવરીના રસ્તાઓ મળી જશે.
મોતના લાખો આંકડાઓ સામે આવવાની ડોકટરે કરી વાત
સરકારમાં સંક્રમિત બીમારીઓના નિષ્ણાંક ડો. અન્થની ફોસીએ દાવો કર્યો છે કે, અમેરિકામાં એક લાખથી વધુ મોત અને સંક્રમણના લાખો મામલાઓ સામે આવી શકે છએ.