છોટાઉદેપુર: બારીયા રોડ પાસે ટ્રકનો અકસ્માત થયો છે. બારીયા રોડ પાસે ટ્રક ઘરમાં ઘૂસી જતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માત થતા ઘરની ઓસરીમા સૂઈ રહેલ મહિલા પુરૂષ અને બાળકનુ મોત નિપજ્યુ છે. આ ઘટના સર્જાતા ટ્રક ડ્રાઈવર ફરાર થયો હતો.
આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ટ્રકની તોડફોડ કરી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.