સાબરકાંઠાઃ જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. વિજયનગર તાલુકાના કુન્ડલાકંપા પાસે અકસ્માત થયો છે. આ ઘટના સર્જાતા 7 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.
જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનામાં હજી પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે જીપના કૂચા થઇ ગયા હતા. જીપ ટ્રક નીચે દબાઇ ગઇ હતી. 7 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. આસપાસના લોકો બચાવ માટે પહોંચી ગયા હતા.