દહેજ...આ માત્ર શબ્દ નહી પરિવારમાં આગ ચાંપવાનુ સાધન છે. દહેજ શબ્દે ઘણા પરિવારને તણાવમાં નાંખી દીધા છે અને કેટલાક લોકોનો જીવ લઇ લીધો છે. હાલમાં જ હરિયાણામાં એક પિતા દહેજના ભાર નીચે એવા દબાયા કે પંખે લટકીને જીવન ટૂંકાવી લીધુ હતું.
દહેજ માટે પજવતા હતા વરપક્ષના લોકો
કંકોત્રી પર સુસાઇડ નોટ લખી કરી આત્મહત્યા
15 લાખ નહી 30 લાખ જોઇતા હતા
હરિયાણાના રેવાડીમાં ટ્રાન્સ્પોર્ટનો બિઝનેસ કરતા કૈલાશ નામના વ્યક્તિએ પોતાની દીકરીનો સંબંધ ગુરુગ્રામમાં રહેતા સુનીલ કુમારના દિકરા સાથે કર્યો હતો. દીકરીના લગ્નની તૈયારીઓમાં પડેલા પિતા ખુબ ખુશ હતા અને હરખથી દરેક વસ્તુઓ ખરીદતા હતા.
લગ્નના એક દિવસ પહેલા કરી ડિમાન્ડ
લગ્નની લગભગ બધી જ તૈયારી પૂર્ણ થઇ ગઇ હતી અને ફેરાના એક દિવસ પહેલા જ દીકરીના પિતા પાસે 30 લાખના દહેજની માંગણી કરી હતી. કહ્યું કે, જો તમે પૈસા નહી આપો તો જાન લઇને તેમના ઘરે નહી આવે. આ વાતથી કૈલાશ ભાઇ ખુબ દુખી અને નિરાશ થઇ ગયા હતા કારણકે કએક જ દિવસમાં 30 લાખ રૂપિયાની રકમ એકઠી કરવી સંભવ ન હતી.
મનાવવાનો કર્યો પ્રયત્ન
વર પક્ષને મનાવવા માટે દુલ્હનના પિતા બનેવી સાથે તેમના ગામ ગયા હતા. વરપક્ષ સમક્ષ પોતાની વાત મૂકી અને મજબૂરી કહી પરંતુ તેઓ વાત ન માન્યા અને 30 લાખની વાત પર અડેલા રહ્યાં. નિરાશ થયેલા કૈલાશ ભાઇ બનેવીની ઓફિસમાં જ સૂઇ ગયા હતા.
સવારે લટકતો મળ્યો મૃતદેહ
સવારે જ્યારે કૈલાશ ભાઇ માટે ચા લઇને તેમના બનેવી આવ્યા ત્યારે તેમણે જોયુ કે કૈલાશ ભાઇની લાશ પંખે લટકેલી છે. માત્ર આટલુ જ નહી દીકરીના લગ્નની કંકોત્રી પર સુસાઇડ નોટ લખીને સરકારને અપીલ કરી હતી કે આવા લોભી પરિવાર પર કાર્યવાહી કરવામાં આવે.
શું લખ્યુ હતુ સુસાઇડ નોટમાં
તેમણે સુસાઇડ નોટમાં લખ્યુ હતું કે, મેં લગ્નની બધી જ તૈયારી પૂર્ણ કરી લીધી હતી અને મારી હેસિયતના હિસાબથી 13 થી 15 લાખ રૂપિયા દહેજ આપવા માટે ભેગા કરી લીધા હતા પરંતુ છોકરાના પિતાના સાઢુ, પૂર્વ સરપંચ મામચંદ અને વિનય પાલ તેમજ મંજૂ દેવી પૈસા આપવા માટે હેરાન કરી રહ્યાં હતા.
વધુમાં તેમણે લખ્યું કે, હું તેમને 30 લાખ રૂપિયા આપી શકુ તેવી હાલતમાં નહોતો અને સમાજમાં પોતાની ઇજ્જત બચાવવા માટે તેમની પાસે ગયો પરંતુ તેમણે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. હવે હું સમાજમાં જીવિત નહી રહી શકુ અને મારા મોતના જવાબદાર આ લોકો જ છે.