ઉદ્યોગોમાં કોઈ કાપ નહીં અને ખેડૂતો માટે અડઘી રાતે લોડ સેટિંગના નામે લદાય છે વીજકાપ: આતો PGVCL અને UGVCL કેવી વ્યવસ્થા?
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજકાપથી ખેડૂતો હેરાન
ખેડૂતો વ્યકત કરી રહ્યા છે બળાપો
8 કલાક વીજપુરવઠો ન મળ્યાનો આરોપ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વીજ અધિકારી અને તંત્રની દોંગલી નીતિ સામે આવી રહી છે એક તરફ કોલસાની ખેચને કારણે વીજ સંકટના ભણકારા વાગી રહ્યા છે તો બીજી તરફ તંત્ર સબસલામતના દાવા કરી રહ્યું છે. હકીકત એ છે કે ખેડૂતોને પિયતના સમયે રાત્રે વીજળી આપવામાં આવે છે તો ખરી પણ પૂરતો સમય નહીં. સૌરાષ્ટ્ર્રમાં ખેતીવાડીમાં પરોક્ષ વીજકાપ લાગુ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો ઉત્તર ગુજરાતમાં UGVCL દ્વારા 8 કલાક પણ વીજળી ન અપાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે સબસલામતના દાવાનું શું? કૃષિમંત્રી રાધવજી પટેલે થોડા દિવસ પહેલા વીજપ્રશ્નોને લઈ આપેલ આદેશનું શું?
સૌરાષ્ટ્રમાં વીજકાપની સ્થિતિ શું છે?
કોલસાની અછત પછી સ્થિતિ વણસી છતાં સબ સલામતના દાવાથી તંત્રની નીતિ ઉઘાડી પડી છે. સૌરાષ્ટ્ર્રમાં વીજકાપને લઇને ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે. મનપા અને નગરપાલિકામાં દૈનિક કેટલાક કલાક વીજકાપ તો સૌરાષ્ટ્ર્રમાં ખેતીવાડીમાં પરોક્ષ વીજકાપ લાગુ કરવાં આવતા ખેડૂતો અકળાયા છે. PGVCLના અધિકારીની બે ઘારી નીતિ સામે આવી રહી છે ખેડૂતો આરોપ કરી રહ્યા છે કે PGVCL દ્વારા ઉદ્યોગોમાં કોઇ વીજકાપ નહીં જ્યારે સિંચાઇમાં લોડ સેટિંગના નામે વીજકાપ લદાય છે.પુરતો 8 કલાક વીજ પુરવઠો ન અપાતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. અને જો 8 કલાકના વીજ પુરવઠો અપાય છે તેમાં પણ વચ્ચે કાપ મુકવામાં આવ્યા છે. ખેડૂતો ઢાળિયા પદ્વતિથી ખેતી કરતા હોવાથી પિયત કરવું મુશ્કેલ બન્યું કારણ કે પુરતી વીજળી ન મળતા સમગ્ર વાવેતરમાં પિયત નથી મળી શકતું.
ઉત્તર ગુજરાતમાં વીજકાપની સ્થિતિ શું છે?
તો આ તરફ ઉત્તર ગુજરાતમાં સિંચાઇ માટેના વીજ પુરવઠામાં પણ વીજકાપ ઝીંકી દેવાયો છે. UGVCL દ્વારા 8 કલાક પણ વીજળી ન અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. અડધી રાત્રે કાપ કરતો હોવાથી ખેડૂતોને ઉજાગરા કરવા પડી રહ્યાં છે લોડ સેન્ટિગ તેમજ અવનવા બહાના હેઠળ અધિકારીઑ વીજકાપ કરી રહ્યા છે. અને ઉપરથી પુરતો પુરવઠો ન આવતો હોવાનો વદાળ કરી રહ્યા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ખેડૂતો સહિત રહેણાંક વિસ્તારોમાં પણ વીજકાપથી લોકોને પરેશાની થઈ રહી છે.
સમસ્યાનું નિરાકરણ ગણતરીના દિવસોમાં આવશે: કનુભાઈ દેસાઈ, ઊર્જામંત્રી
આજે કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ની સૌથી મોટી અને જૂની સમસ્યા એવા વાપી રેલવે અન્ડર પાસ નું ખાતમુર્હુત કર્યું હતું વાપી શહેરના મધ્યમાંથી રેલ્વે લાઇન પસાર થાય છે આથી રેલવે લાઇન ક્રોસ કરવા માટે લોકો જીવને જોખમમાં મૂકીને રેલવે ટ્રેક પસાર કરે છે આથી દર વર્ષે અનેક લોકો અકસ્માતમાં ભોગ બને છે અને જીવ ખોવાનો વારો આવે છે આથી આજે નાણાં મંત્રીના હસ્તે આ રેલવે અંડરપાસ નું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જેને માર્ચ મહિના સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવી કનુભાઇ દેસાઇએ ખાત્રી પણ આપી છે.