રાફેલ મામલે નરેન્દ્ર મોદી નહીં પરંતુ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઇ છે. ભાજપ નેતા મીનાક્ષી લેખીએ રાહુલ વિરુદ્ધ અપરાધિક અવમાનનાની અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા નવા દસ્તાવેજોના આધાર પર રાફેલ ડીલ પર પુનર્વિચાર અરજી સ્વીકાર કરવાને લઇને 'ચોકીદાર ચોર છે' ના રૂપમાં રજૂ કરવાથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશેક્લી વધી ગઇ છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ પાઠવતા 22 એપ્રિલ સુધી જવાબ આપવા માટે કહ્યું છે. રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ છે. ભાજપ નેતા મીનાક્ષી લેખીએ રાહુલ વિરુદ્ધ અપરાધિક અવમાનનાની અરજી દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇની આગેવાની બેંચે કહ્યું કે કોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ કોઇ ટિપ્પણી કરી નથી.
જણાવી દઇએ કે બુધવારે શીર્ષ કોર્ટે સરકારની આપત્તિઓની અવગણના કરતાં રાફેલ મામલે રિવ્યૂ પિટીશન પર નવા દસ્તાવેજના આધાર પર સુનવણીનો નિર્ણય કર્યો હતો. રાહુલે મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે હવે સુપ્રીમ કોર્ટે માની લીધું છે કે ચોકીદાર ચોર છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં લીક દસ્તાવેજોના આધાર પર રિવ્યૂ પિટીશન પર સુનાવણીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ દસ્તાવેજ પ્રિવિલેજ્ડ દસ્તાવેજ છે અને આ કારણે રિવ્યૂ પિટિશન ફગાવી દેવી જોઇએ.
ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધીની વિરુદ્ધ અવગણનાની કાર્યવાહી કરવાની શુક્રવારે કોર્ટમાં અપીલ કરી હતી. ચીફ જસ્ટિસની અધ્યક્ષતા વાળી પીઠે કહ્યું હતું કે આ અરજી પર 15 એપ્રિલે સુનવણી થશે.