મધ્યપ્રદેશની રાજનીતિમાં હાલ ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ ગત રાત્રે ભાજપે ધારાસભ્યોને બંધક બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા જયવર્ધનસિંહે કહ્યું કે ભાજપ અમારા ધારાસભ્યોને મોટી રકમની ઓફર આપીને ખરીદી રહી હતી.
મધ્યપ્રદેશમાં તખ્તાપલટનો કોંગ્રસનો આરોપ
કોંગ્રેસે ભાજપ પર તખ્તાપલટનો લગાવ્યો આરોપ
ભાજપે અમારા ધારાસભ્યોને બંધક બનાવ્યા
જોકે અમે ગુરુગ્રામની હોટલમાંથી ધારાસભ્યોને બહાર કાઢી લીધા છે. હવે મધ્યપ્રદેશની કમલનાથ સરકારને કોઈ ખતરો નથી. આ મામલે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે દાવો કર્યો કે 6 ધારાસભ્યો પરત આવી ગયા છે. અન્ય ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. તમને જણાવી દઈએ કે દિગ્વિજયસિંહે આ પૂર્વે પણ ભાજપ પર આક્ષેપ કર્યા હતા કે ભાજપ અમારા ધારાસભ્યને ખરીદવાના પ્રયાસો કરી રહી છે.
મધ્યપ્રદેશમાં કોની પાસે કેટલા ધારાસભ્યો
મધ્યપ્રદેશ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 230 છે. જેમાં કોંગ્રેસ પાસે 114 ધારાસભ્ય છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. આ ઉપરાંત 9 ધારાસભ્યમાં BSP પાસે 2 ધારાસભ્ય અને SP પાસે 1 ધારાસભ્ય છે.
Digvijaya Singh, Congress: When we got to know, Jitu Patwari & Jaivardhan Singh went there. People with whom our contact was established were ready to come back to us. We were able to get in touch with Bisahulal Singh & Ramabai. Ramabai came back, even when BJP tried to stop her. https://t.co/WWSXQbdXzBpic.twitter.com/MHL0Rl6mLm
પ્રાપ્ત મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રાજકારણમાં ફરી એક વખત રાજકીય ધમાસાણ જોવા મળી રહ્યું છે. અડધી રાતે કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર 8 ધારાસભ્યોને ગુરૂગ્રામની એક લકઝરી હોટલમાં બંધ બનવાનો આરોપ લગાવ્યો છે.
#WATCH Haryana: Madhya Pradesh Ministers&Congress leaders Jitu Patwari&Jaivardhan Singh leave from ITC Resort in Gurugram's Manesar,taking suspended BSP MLA Ramabai with them.8 MLAs from MP are reportedly being held against their will by BJP at the hotel,Ramabai being one of them pic.twitter.com/VUivVHsaA4
જેને લઇને કમલનાથની સરકાર પર સંકટના વાદળો મંડરાવા મંડ્યા છે. કોંગ્રેસે ભાજપ પર કમલનાથ સરકાર પાડવાના પ્રયત્નો કરવા તેમજ ધારાસભ્યોને ખરીદવાનો પણ આરોપ લગાવ્યો છે.