ફોરવર્ડ પોસ્ટ પર તેનાત સૈનિકોને જવાબી કાર્યવાહી કરવાની પૂર્ણ સ્વતંત્રતા
ભારતીય સેનાએ પાકિસ્તાન ચોકીઓ અને સૈનિકોના હાલ બેહાલ કર્યા
યુદ્ધવિરામ ઉલ્લંઘનના જવાબમાં સૈનિકોને કાર્યવાહી કરવાની સ્વતંત્રતા
અજય ભટ્ટે કહ્યું કે ફોરવર્ડ પોસ્ટ પર તેનાત સૈનિકોને યુદ્ધવિરામ ઉલ્લંઘનના જવાબમાં કાર્યવાહી કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ યુદ્ધવિરામ ઉલ્લંઘન વિરુદ્ધ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન ચોકીઓ અને સૈનિકોનો ખાત્મો બોલાવ્યો છે. તેમણે લેખિત જવાબમાં એવુ પણ કહ્યું કે 30 નવેમ્બર 2019થી 29 નવેમ્બર 2021 સુધી જમ્મુ-કાશ્મીરમાં LOC પર યુદ્ધવિરામ ઉલ્લંઘનના કુલ 5601 મામલા નોંધાયા છે. ભારતીય સેનાએ સતત યુદ્ધવિરામ ઉલ્લંઘનનો કડક જવાબ આપ્યો છે.
પાકિસ્તાનના નાપાક મનસુબા સામે આવ્યાં
બીજી તરફ ફરી એક વખત લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાનના નાપાક મનસુબા સામે આવ્યાં છે. પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદની પાસે ડ્રોન દેખાયુ. ત્યારબાદ સરહદ પર તેનાત જવાનોએ ફાયરિંગ કરી તો તેઓ પાકિસ્તાનની સરહદમાં પાછા જતા રહ્યાં. બીએસએફના એક અધિકારીએ કહ્યું કે રાત્રે લગભગ સાડા બાર વાગ્યે એક ડ્રોન જોવા મળ્યું. પેટ્રોલિંગ ટીમે જ્યારે એક અવાજ સાંભળ્યો તો બીએસએફના જવાનોએ 5 રાઉન્ડ ફાયરિંગ કરી. ત્યારબાદ ડ્રોન પાકિસ્તાનની સરહદમાં પાછુ જતુ રહ્યું. આંતરરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોન જોયાની ઘટના કોઈ નવી નથી. આની પહેલા પણ ઘણી વખત પાકિસ્તાન તરફથી ડ્રોન મોકલવામાં આવ્યાં છે. જેનો ભારતીય સુરક્ષાદળોએ સણસણતો જવાબ આપ્યો છે.