સામુદ્રિક શાસ્ત્રમાં જાતકોની હથેળી પર રેખાઓની સ્થિતિ અને વિભિન્ન પર્વતો પર ઉપસ્થિત ચિહ્નોને જોઇને વ્યક્તિના સ્વભાવ અને રૂપિયા પૈસા કરિયર અને દાંપત્ય જીવનને લઇને એમના ભવિષ્ય માટે જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્રને સામાન્ય ભાષામાં હસ્તરેખા વિજ્ઞાન પણ કહેવાય છે. આ ક્રમમાં ભગવાન શિવનું પ્રતિક મનાતું ત્રિશૂળનું ચિહ્ન છે. જો તમારી હથેળી પર છે ત્રિશૂળનું ચિહ્ન, તો જાણો એનો અર્થ...સામુદ્રિક શાસ્ત્રમાં જાતકોની હથેળી પર રેખાઓની સ્થિતિ અને વિભિન્ન પર્વતો પર ઉપસ્થિત ચિહ્નોને જોઇને વ્યક્તિના સ્વભાવ અને રૂપિયા પૈસા કરિયર અને દાંપત્ય જીવનને લઇને એમના ભવિષ્ય માટે જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્રને સામાન્ય ભાષામાં હસ્તરેખા વિજ્ઞાન પણ કહેવાય છે. આ ક્રમમાં ભગવાન શિવનું પ્રતિક મનાતું ત્રિશૂળનું ચિહ્ન છે. જો તમારી હથેળી પર છે ત્રિશૂળનું ચિહ્ન, તો જાણો એનો અર્થ...
જો હથેળીમાં ત્રિશૂળનું ચિહ્ન બૃહસ્પતિ પર્વત પર છે તો જાતકને ઉચ્ચ પદ પ્રાપ્ત થઇ શકે છે. એની સાથે જ જીવનના દરેક ક્ષેત્રમાં પણ સફળતા મળશે. આવા જાતકો બધાના પસંદગીના બનેલા રહે છે.
જો વ્યક્તિના હાથમાં સૂર્ય પર્વત પર ત્રિશૂળનું ચિહ્ન છે તો એને ભવિષ્યમાં ઉચ્ચ પદની સાથે ધન અને યશની પ્રાપ્તિ થાય છે. આ અવસ્થામાં ત્રિશૂળનું ચિહ્ન હોવા પર વ્યક્તિને વિશેષ રૂપથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
જો કોઇ વ્યક્તિને ભાગ્ય રેખા અથવા શનિ પર્વત પર ત્રિશૂળ છે તો એ મોટો વેપારી અને મોટો અધિકારી બને છે. જો સૂર્ય રેખા સારી હોય તો સારું ફળ મળે છે.
ચંદ્ર પર્વતથી નિકળનારી ભાગ્ય રેખા પર જો ત્રિશૂળ છે તો વિદેશ યાત્રાનો યોગ બને છે અને ત્યાંથી લાભની પ્રાપ્તિ થાય છે.
જો કોઇના સાથમાં ત્રિશૂળ તો છે પરંતુ એ ઉલ્ટી દિશામાં છે. એટલે કે એ આંગળીઓની દિશામાં છે તો સારું ફળ પ્રાપ્ત થશે અને એ વિપરીત દિશામાં છે તો એનો લાભ મળશે નહીં.