હર ઘર તિરંગા અભિયાનના પ્રારંભને લઇને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે આજે આણંદ, અમદાવાદ, વાપી, વલસાડ, રાજકોટમાં સહીત ગુજરાતભરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા.
આણંદ, અમદાવાદ, વલસાડ, રાજકોટમાં તિરંગા યાત્રા અને રાષ્ટ્રધ્વજ લહેરાયા
ધર્મજમાં 1111 ફૂટ લાંબા તિરંગા સાથે યોજાઇ તિરંગા યાત્રા
આઝાદી કા અમૃત મહોત્સવના ગૌરવવંતા પર્વને લઇને પ્રધાનમંત્રીના આહ્વાન બાદ દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેના ભાગ રૂપે ગુજરાતના ખૂણે-ખૂણે અનેક કાર્યક્રમો યોજાયા હતા. આજથી આણંદ, અમદાવાદ, વલસાડ, રાજકોટ સહીતના સ્થળોએ તિરંગા યાત્રા અને રાષ્ટ્રધ્વજ લહેરાવવા આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ધર્મજમાં 1111 ફૂટ લાંબા તિરંગા સાથે યોજાઈ તિરંગા યાત્રા
આજથી દેશમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદની શાહીબાગમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવને લઇને ભારતના સૌથી ધનાઢય ગામ આણંદના ધર્મજમાં અનોખી તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં 1111 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રાનું સ્વામી સચિદાનંદ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે રણોલી ગામથી ધર્મજ સુધી 5 કિમીની તિરંગા યાત્રા યોજાઈ હતી. આ અવસરે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આણંદઃ 1 હજાર 111 ફૂટ લાંબા તિરંગા સાથે રણોલી ગામથી ધર્મજ સુધી 5 કિમીની તિરંગા યાત્રા યોજાઈ હતી. સ્વામી સચિદાનંદ દ્વારા ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો જોડાયા હતા.#HarGharTirangapic.twitter.com/Ex7epneS3u
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 13, 2022
વાપીમાં નાણામંત્રીના હસ્તે જિલ્લાનો સૌથી ઉંચો તિરંગો લહેરાવાયો
વધુમાં વલસાડના વાપી અને આણંદમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. વાપીમાં નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો અને પોલીસકર્મી જોડાયા હતા. જ્ચારે બીજી તરફ આણંદ વિદ્યાનગર રોડની સૌથી ઊંચી બિલ્ડિંગ પર પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. અહીં હોટેલ એચ પર ભાજપ દ્વારા 12 ફૂટનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ સાંસદ દિલીપ પટેલ, મહેશ પટેલ, આણંદ પાલિકા પ્રમુખ, કાઉન્સિલરો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તથા વરસતા વરસાદમાં અસંખ્ય લોકો જોડાયા હતા.
દેશ આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે, તે અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા વલસાડ જિલ્લાના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરાયુ હતું, તેનું આજ રોજ લોકાર્પણ કર્યું.#HarGharTiranga#AzadiKaAmritMahotsavpic.twitter.com/P8mbyi5Jus
રાજકોટમાં SDRFની ટીમે પાણીમાં લહેરાવ્યો તિરંગો
બીજી તરફ રાજકોટમાં SDRFની ટિમ પાણીમાં તિરંગો લહેરાવામાં આવ્યો હતો. ડેમમાં દિલધડક રીતે રાષ્ટ્રીય ધ્વજ લહેરવામાં આવતા અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. ધુધવાતા અને ઠંડા પાણીમાં જવાનોએ ઉતરી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. જવાનો 20 ફૂટ કરતા ઊંડા પાણીમાં ઉતરી દેશભક્તિના રંગ બતાવ્યા હતા. વધુમાં SDRFના જવાનો દ્રારા બોટમાં તિરંગા લહેરાવી અવનવા કરતબો બતાવવામાં આવ્યા હતા.