ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપ અને IPFTને બહુમત પ્રાપ્ત થયો છે. હવે નવી સરકારનો શપથ સમારોહ 8 માર્ચનાં રોજ યોજાશે.
ત્રિપુરાનાં મુખ્યમંત્રીનું નામ જાહેર
માણિક સાહા દ્વિતીય વખત બનશે CM
8 માર્ચનાં રોજ થશે શપથગ્રહણ સમારોહ
માણિક સાહા ફરી એકવાર ત્રિપુરાનાં મુખ્યમંત્રી તરીકે શપશ લેશે. સોમવારે ભારતીય જનતા પાર્ટીનાં વિધાયક દળની બેઠકમાં તેમને વિધાયક દળનાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં. આ માણિક સાહાનું CMનાં રૂપમાં સતત દ્વિતીય કાર્યકાળ રહેશે. ભાજપએ 60 સદસ્યની વિધાનસભામાં 32 સીટો જીતીને સ્પષ્ટ બહુમત મેળવી છે જ્યારે તેના સહયોગી દળ ઈંડિજીનસ પીપુલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરાએ એક સીટ પર જીત મેળવી છે.
2 માર્ચનાં આવ્યાં હતાં પરિણામો
રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન કરવામાં આવ્યું હતું અને પરિણામોની જાહેરાત 2 માર્ચનાં રોજ કરવામાં આવી હતી. ચૂંટણીનાં પરિણામો બાદ ત્રિપુરાનાં મુખ્યમંત્રી માણિક સાહાએ રાજ્યપાલને પોતાની સરકારનું રાજીનામું સોપી દીધું હતું જેના બાદ ત્રિપુરાનાં મુખ્યમંત્રીનાં નામને લઈને ભાજપમાં મંથન શરૂ થયું હતું.
Tripura | Manik Saha has been elected as legislative party leader by BJP MLAs. He will be the CM of the state.
CMનાં નામને લઈને દિલ્હીમાં થઈ હતી બેઠક
રવિવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં આવાસ પર ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા, અસમનાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સહિત અનેક વરિષ્ઠ નેતાઓની બેઠક કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકનાં નામ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ કેન્દ્રિય નેતૃત્વ સાહાનાં પક્ષમાં રહ્યું.
8 માર્ચનાં રોજ લેશે શપથ
સૂત્રો અનુસાર માણિક સાહા અત્યાર સુધી વિવાદોમાં રહ્યાં નથી અને તે જનજાતીય વિસ્તારોની સાથે સારાં સંબંધો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નવી સરકારનો શપથ સમારંભ 8 માર્ચનાં થશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ જે.પી.નડ્ડા મંગળવારે સાંજે અગરતલામાં પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ શપર ગ્રહણ સમારંભમાં શામેલ થઈ શકે છે.
Happy to conduct a surgery for Oral Cystic Lesion of 10-year-old Akshit Ghosh at my old workplace Tripura Medical College.
There was no difficulty in performing the surgery though it was after a long gap. The patient is in good condition now. pic.twitter.com/GfzZ4CeVVD
બાળકનું કર્યું ઓપરેશન
ત્રિપુરાના સીએમ માણિક સાહાએ ચૂંટણી પ્રચારની વચ્ચે કરેલા કામના ચારે તરફ વખાણ થઈ રહ્યાં છે અને વખાણ પણ કેમ ન થાય કારણ કે તેમણે પોતાનો ચૂંટણી પ્રચાર પડતો મૂકીને 10 વર્ષના છોકરાનું ઓપરેશન કરવા પોતાની હોસ્પિટલ જઈ ચડ્યાં હતા અને ડોક્ટરનો વેશ પહેરીને ઓપરેશન કરવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાળકને મોઢાના ઉપરના ભાગમાં સિસ્ટિક ગ્રોથની સમસ્યા હતી. જેના કારણે બાળકના સાઈનસના હાડકાં પર અસર પડી રહી હતી. આવી સ્થિતિમાં ત્રિપુરા મેડિકલ કોલેજમાં આ વિભાગના પ્રોફેસર રહી ચૂકેલા મુખ્યમંત્રી માણિક સાહાની સલાહ લેવામાં આવી હતી, આ પછી આ કામ કોઈને ન સોંપતા મુખ્યમંત્રીએ જાતે બાળકનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો.