નવી દિલ્હીઃ દેશના પૂર્વોત્તર રાજ્યોમા વરસાદની શરૂઆત થઈ છે. શરૂઆતી વરસાદમા પૂર્વોત્તર રાજ્યોમાં પુરની પરિસ્થિતિ જોવા મળી છે. પૂરના કારણે 13 લોકોના મોત થયા છે. અસમ મણિપુર અને ત્રિપુરામાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન થયા છે.
પૂરના કારણે 5400 હેક્ટર પાકને પણ નુકસાન થયુ છે. ભારે વરસાદના કારણે વાહન વ્યવહારની સેવાઓને પણ અસર થઈ છે. રોડ રસ્તાઓ પર વરસાદના કારણે લોકો પરેશાન થયા છે. અસમમાં પુરની પરિસ્થિતિના કાણે 4 લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છીએ. જ્યારે ત્રિપુરામાં 3 લાખ 87 હજાર જેટલા લોકો પ્રભાવિત થયા છે. ભારે વરસાદના કારણે અનેક લોકો ફસાયા છે. NDRFની ટીમ દ્વારા 3600 લોકોને બચાવવામાં પણ આવ્યા છે.
રિપોર્ટ અનુસાર પૂરથી પૂર્વોત્તરના રાજ્યોમાં અંદાજિત 8 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામમાં અંદાજિત ચાર લાખ લોકો પ્રભાવિત થયા છે ત્યારે મણિપુરમાં 1.5 લોકો પ્રભાવિત થયા છે. પૂર્વોત્તરના અલગ અલગ રાજ્યોમાં 50 હજારથી વધુ લોકો કેમ્પોમાં રહે છે. રાજ્યમાં 5400 હેક્ટર પાક બરબાદ થઇ ચૂક્યો છે.
આસામમાં પૂરની સ્થિતિ અને વિકટતાની સાથે 7 રાજ્યોમાં અંદાજિત ચાર લાખ લોકો પ્રભાવિત થયા છે.
મળતી માહિતી અનુસાર કાર્બી આંગલાંગ પૂર્વ કાર્બી આંગલાંગ પૂર્વ કાર્બી આંગલાંગ પશ્ચિમ ગોલાઘાટ કરીમગંજ હૈલાકાંડી અને કછાર જિલ્લામાં 3.87 લાખ લોકો પ્રભાવિત થયા છે. ત્રિપુરામાં પૂરથી સ્થિતિમાં થોડો સુધાર આવ્યો છે. જ્યારે રાજ્યભરના 189 રાહત શિબિરોમાં આજે પણ 40 હજારથી વધુ લોકો ફંસાયેલા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રેવ્ઝ વિભાગના ઉપસચિવ શંકર ચક્રવર્તીએ જણાવ્યું કે મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે ગત 15 જૂને ઉનાકોટી જિલ્લાના સબ ડિવીઝન કૈલાશહેર અને કુમારઘાટની મુલાકાત લીધી હતી.