પૂર્વોત્તરનાં 3 રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વોટિંગ થઈ ગયું છે. 2 માર્ચનાં આવનારાં પરિણામોમાં તમામ સ્પષ્ટતાઓ થઈ જશે પરંતુ તે પહેલાં જોઈ લઈએ ત્રિપુરાનાં એક્ઝીટ પોલનાં પરિણામો...
ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વોટિંગ સમાપ્ત
ત્રિપુરાનાં exit poll આવ્યાં સામે
exit poll અનુસાર ફરીથી ભાજપની સરકાર બની શકે છે
ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વોટિંગ સમાપ્ત થઈ ગઈ છે ત્યારે સમગ્ર દેશની નજર 2 માર્ચનાં આવનારાં પરિણામો પર છે. પરંતુ એ પહેલાં ત્રિપુરાનાં exit pollનાં આંકડાઓ પણ કેટલાક સંદેશાઓ આપી રહ્યાં છે.
ત્રિપુરામાં ફરી ભાજપ સરકારનાં સંકેતો?
ત્રિપુરા ચૂંટણીને લઈને કરવામાં આવેલા એક્ઝીટ પોલમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાનાં સંકેતો દેખાઈ રહ્યાં છે. ભાજપને 36થી 45 સીટો મળી શકે છે.
લેફ્ટ કોંગ્રેસ અને TMPને કેટલી સીટો?
exit poll જણાવે છે કે ત્રિપુરા ચૂંટણીમાં લેફ્ટ કોંગ્રેસનું ગઠબંધન સરકાર બનાવવાથી હાથ ખંખેરી રહ્યું છે. તેના ખાતામાં 9થી 11 સીટો આવી શકે છે. તો સામે પક્ષે ટીએમપી લેફ્ટથી પણ સારું પ્રદર્શન કરતી નજરે પડે છે. એક્ઝીટ પોલ અનુસાર ટીએમપીને 9થી 16 સીટો મળી શકે છે.
ત્રિપુરામાં વોટિંગ સમાપ્ત
જનતા પોતાના વોટ આપી ચૂકી છે જે evmમાં કેદ છે. કોણ જીતશે કોણ હારશે તે અંગેની માહિતી 2 માર્ચનાં સ્પષ્ટ થઈ જશે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 81.1%નું મતદાન નોંધવામાં આવ્યું છે. સીઈઓ કિરણકુમાર દિનકરોએ જણાવ્યું હતું કે 3337 મતદાન કેન્દ્રો પર કડક સુરક્ષાઓની વચ્ચે મતદાન થયું છે.
ત્રિપુરાનાં 2018નાં પરિણામો
ત્રિપુરામાં વર્ષ 2018માં ભાજપે ઈતિહાસ રચીને 25 વર્ષનાં શાસનકાળને સમાપ્ત કર્યો હતો. તે ચૂંટણીમાં 60% વિધાનસભાની સીટો પર ભાજપ અને તેના સહયોગી દળોએ સાથે મળીને 43 સીટો જીતી હતી. જ્યારે CPMને 16 સીટોમાં જ સંતોષ માનવો પડ્યો હતો.
નાગાલેન્ડ અને મેઘાલયની સ્થિતિ
નાગાલેન્ડ એવું પૂર્વોત્તરનું રાજ્ય છે કે જ્યાં એકસાથે અનેક વિવાદો ચાલી રહ્યાં છે. પછી તે અસમની સાથનો વિવાદ હોય કે પછી AFSPAનો મુદો. આ મુદાઓને લઈને ચૂંટણી લડવામાં આવી છે. તો બીજી તરફ NDPP અને ભાજપની સાથે મળીને ચૂંટણી લડી રહી છે. તો સામે પક્ષે મેઘાલયમાં સ્થિતિ ઘણી રસપ્રદ છે. પહેલીવાર ભાજપ આ સીટો પર ચૂંટણી લડવા માટે એકલી મેદાનમાં ઊતરી છે. ઈસાઈ બહુલ રાજ્યમાં પાર્ટીએ ઝડપથી પોતાનો વિસ્તાર કર્યો છે અને ફરી એકવાર સરકાર બનાવવાનો દાવો કરી રહી છે.