મળતી જાણકારી પ્રમાણે, વર્ષ 2018માં બિપ્લબ દેવ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે, આજે રાજીનામું ધરી દેતા ટૂંક સમયમાં નવા નેતાની ચૂંટણી યોજાશે. જેને લઈને ધારાસભ્ય દળની બેઠક પણ આજે સાંજે 5 કલાકે યોજાવાની છે. જણાવી દઈએ કે, ત્રિપુરી ભાજપ શાસિત રાજ્ય છે.
પાર્ટીનો નિર્ણય સર્વોપરી રહેશે : બિપ્લબ
રાજીનામું આપવાને લઈને બિપ્લબ દેવે મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, પાર્ટીનો નિર્ણય સર્વોપરી રહેશે, દિલ્હી હાઈકમાન્ડના આદેશ પ્રમાણે રાજીનામું આપેલ છે. સાથે જ તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, 2023ની ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવામાં આવશે.
ધારાસભ્ય દળની બેઠકમાં નવા સીએમ પર ચર્ચા
શનિવાર સાંજ સુધીમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક થવાની છે, જેમાં નવા સીએમને લઈને પણ ચર્ચા થશે. તો વળી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને ત્રિપુરાના પર્યવેક્ષક બનાવામાં આવ્યા છે.
Tripura Chief Minister Biplab Kumar Deb tenders his resignation to Governor Tripura Governor Satyadeo Narain Arya. pic.twitter.com/T64nFGgOny
બિપ્લવ દેવે કહ્યું કે, અમારી પ્રથમ પ્રાથમિકતા ભાજપને ફરીથી સત્તામાં લાવવાની છે. અમે ત્રિપુરામાં લાંબા સમય સુધી ભાજપને સત્તામાં બનાવી રાખવા માટે કામ કરી રહ્યા છીએ. જ્યારે સુધી અમારી પાસે એક મજબૂત સંગઠન છે. અમે સરકારમાં છીએ અને તે વાત જ સૌથી મહત્વની છે.
બિપ્લવ દેવને લઈને સંગઠનમાં નારાજગી
બિપ્લવ દેવને લઈને સંગઠનમાં નારાજગી ચાલી રહી છે. બે ધારાસભ્યોએ પાર્ટી છોડી પણ દીધી હતી. વિધાનસભા ચૂંટણીમાં રણનીતિને લઈને ભાજપ કોઈ રિસ્ક લેવા માગતુ નથી. આપને ખબર હશે કે, 2023માં રાજ્યમાં ચૂંટણી આવી રહી છે. ગુજરાતની માફક ત્રિપુરામાં પણ મંત્રીથી લઈને સંગઠન સુધી મોટા ફેરફાર થઈ શકે છે. રાજીનામા બાદ તેઓને સંગઠનમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે.
Tripura | A meeting of the legislative party will be held at 8 pm. The new leader will be elected, said Union Minister & BJP central observer, Bhupender Yadav, after Biplab Kumar Deb resigned as the Chief Minister pic.twitter.com/WlxlCeIEQF
બિપ્લવ દેવ 2018માં સીએમ બન્યા હતા. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. એવુ માનવામા આવે છે કે, ચૂંટણી પહેલા ભાજપે પાર્ટીને મજબૂત કરવા માટે નવા ચહેરાને રાજ્યની કમાન સોંપવાનો નિર્ણય લીધો છે.
આ નિવેદનથી આવ્યા હતા ચર્ચામાં
એપ્રિલ 2018માં બિપ્લબ દેવ એક વિવાદત નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે ઈન્ટરનેટ અને સેટેલાઈટ તો મહાભારત કાળમાં પણ કાર્યરત હતા.
અમિત શાહે તાજેતરમાં જ ત્રિપુરાની લીધી હતી મુલાકાત
અગાઉ બે દિવસ પહેલા જ બિપ્લબ દેવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે આ નિર્ણય લીધો હતો.
CM કામ કરતા ન હોવાની થઈ હતી ફરિયાદ
અગાઉ 15થી 17 નેતાઓનુ ગ્રુપ ભાજપ હાઈકમાન્ડ સાથે મળવા આવ્યું હતું અને બિપ્લબ દેવ વિરુદ્ધ હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી, કે સીએમ સૌને સાથે લઈને કામ નથી કરતા, જો કે, તે સમયે ભાજપ હાઈકમાન્ડે આ નેતાઓની વાત માની નહોતી અને તેમણે બિપ્લવ દેવ પર કોઈ કાર્યવાહી કરી નહોતી, જો કે નારાજ થયેલા નેતાઓ વધારે બળવો થયો અને પરિણામ સ્વરૂપ બે નેતાઓને પાર્ટી છોડીને અન્ય દળમાં જોડાઈ ગયા હતા.
જો કે, અંતિમ વાત ન બનતા આખરે ભાજપ હાઈકમાન્ડે આ નિર્ણય લેવો પડ્યો અને સીએમ પદેથી બિપ્લબ દેવને હટાવાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો છે
હાલના સમયમાં ભાજપના ચોથા CMનું રાજીનામું
ત્રિપુરાના CMના રાજીનામા સાથે એવું કહી શકાય કે ભાજપના ચોથા મુખ્યમંત્રીનું 'ના'રાજીનામું લેવામાં આવ્યું છે. અગાઉ ગુજરાત, કર્ણાટક અને ઉત્તરાખંડમાં પણ આ જ રીતે મુખ્યમંત્રીઓના રાજીનામા લેવાઈ ચૂકાયા છે. મહત્વનું છે કે ગુજરાતની જેમ જ ત્રિપુરામાં પણ ચૂંટણીની ટર્મ પૂર્ણ (માર્ચ 2023) થવાના થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી બદલવામાં આવી રહ્યાં છે ત્યારે જોવાનું એ રહેશે કે ભાજપમાં 'ના'રાજીનામાનો દોર ક્યાં સુધી ચાલતો રહેશે?