ત્રિપુરામાં મુખ્યમંત્રી બિપ્લવ દેબ સામે પક્ષમાં વિરોધના સૂર છેડાયાં છે. બળવાખોર ધારાસભ્ય મુખ્યમંત્રીને હટાવાની માંગ સાથે દિલ્હી હાઇકમાન્ડના દરબારમાં પહોંચ્યા છે. બળવાખોર ધારાસભ્યોની અધ્યક્ષતા રાજ્યના આરોગ્ય મંત્રી અને પાર્ટીના કદ્દાવર નેતા સુદીપ રોય બર્મન કરી રહ્યાં છે. બર્મનના નેતૃત્વમાં અંદાજે એક ડઝન ધારાસભ્યોનું જૂથ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા અને મહાસચિવ બીએલ સંતોષ સાથે મુલાકાત માટે સમય માગ્યો છે.
બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે મુખ્યમંત્રી પોતાના નિમ્ન નિવેદનોથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. આ ધારાસભ્ય બિપ્લવ દેવ પર કમજોર નેતૃત્વ અને કુશાસનનો આરોપ લગાવી રહ્યું છે.
બળવાખોર જૂથમાં સામેલ એક ધારાસભ્યએ નામ ન બતાવાની શરત પર કહ્યું કે તેમનું જૂથ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ધારાસભ્યએ કહ્યું કે અમે મુખ્યમંત્રીની સરમુખત્યારના વલણ અંગેની જાણકારી ઉચ્ચ હાઇકમાન્ડને આપવા ઇચ્છીએ છીએ.
બિપ્લવ પદ પર રહ્યાં તો રાજ્યમાં વિપક્ષ મજબૂત બનશે
બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે બધા ધારાસભ્ય પક્ષની સાથે જ અને ઇચ્છે છે કે બીજી વખત રાજ્યમાં ભાજપની જ સરકાર બને, પરંતુ હાલનું નેતૃત્વ રહેશે તો ત્રિપુરામાં કોંગ્રેસ અને વામ દળોને મજબૂતી મળશે. તેમનું કહેવું છે કે મુખ્યમંત્રીના કેટલાંક નિવેદનોથી નુકસાન પહોંચી રહ્યું છે.
2018માં વિધાનસભામાં બહુમતિ મળી હતી
ભાજપ અને તેમના સહયોગ IEPFTએ 2018માં ત્રિપુરામાં ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. ભાજપે રાજ્યમાં 25 વર્ષના જુના વામ શાસનને ઉખાડીને ફેંકી દીધું હતું. 60 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપના 36 અને IEPFTના 8 ધારાસભ્ય છે.
મુખ્યમંત્રીના નજીકનાએ કહ્યું, બળવો વધારે ગંભીર નથી
જો કે મુખ્યમંત્રી બિપ્લવ દેબના એક નજીકના સહયોગીએ જણાવ્યું કે બળવો એટલો મોટ નથી જેટલો બતાવામાં આવી રહ્યો છે. એમાં સાત-આઠ ધારાસભ્ય છે, જે રાજ્યમાં સરકારના સારા વિકાસશીલ કાર્યમાં ગડબડી ઉભી કરી રહ્યાં છે. તેમાં સૌથી વધારે કોંગ્રેસમાંથી આવનારા લોકો છે. જ્યારે પક્ષના જૂના સહયોગ અને નેતા મુખ્યમંત્રી દેબના નેતૃત્વ પર ભરોસો વ્યક્ત કરી ચૂક્યાં છે.