રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પાસ થયું. રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલના પક્ષમાં 99 અને વિપક્ષમાં 84 વોટ પડ્યા છે.
મોટાભાગના સાંસદોએ પોતાનું સંશોધન પાછું લીધું છે અને હવે દિગ્વિજય સિંહે એક સંશોધન પર વોટિંગની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે બિલ પાસ કરવા માટે પ્રસ્તાવ મૂકી દીધો છે. અને તેના પર વોટિંગ થઇ રહ્યું છે. જેડીયૂ અને એઆઇએડીએમકેના વોકઆઉટથી રાજ્યસભામાં સભ્યોની સંખ્યા 213 રહી ગઇ હતી. એવામાં બહુમત માટે 109 વોટ જોઇએ. જ્યારે બીજેડીએ ત્રિપલ તલાક બિલનું સમર્થન કર્યું.
ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં કહ્યું કે કોઇને પત્નીની ફરિયાદને આધારે બીજેપીના કોઇ નેતાને જેલમાં મોકલી દો, પછી જોઇએ કે તે કેવી રીતે શાંતિથી રહી શકે. આ પ્રયોગ પહેલા આપના કોઇ નેતા પર કરો. પછી હું પોતે બિલ પાસ કરવા કહીશ. આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલો અને ચર્ચા બાદ ફરી ગૃહમાં લાવો. ગુલામ નબી આઝાદે કહ્યું કે અહીંના મુસલમાનોની તુલના કોઇ અન્ય દેશના મુસલમાનો સાથે ન કરો, કેમકે તેમનામાં જે ખામીઓ છે, તે આપણા દેશના મુસ્લિમોમાં ન લાગવી જોઇએ.
રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું છે. બિલ પર ચર્ચા દરમિયાન જેડીયૂ સાંસદ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે એમની પાર્ટી ત્રિપલ તલાક બિલ સાથે નથી. એમણે કહ્યું કે દરેક પાર્ટીની એક વિચારધારા હોય છે અને તેના પાલન માટે તે સ્વતંત્ર છે. રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલના વિરોધમાં જેડીયૂએ વોકઆઉટ કર્યું.
ત્રણ તલાક બિન ઇસ્લામી અને બિન કાનૂની: નકવી
ત્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન બીજેપી સાંસદ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આજે ઐતિહાસિક દિવસ છે કેમકે 33 વર્ષ બાદ આજે આ ગૃહમાં સામાજિક કુરિતીને ખતમ કરવા ચર્ચા કરવામાં આવી રહી છે. આ પહેલા ગૃહમાં શાહબાનો પર કોર્ટના નિર્ણયને નિષ્પ્રભાવી કરવાની ચર્ચા કરી હતી. નકવીએ કહ્યું કે આજે કુરીતિને ખતમ કરવાના નિર્ણયને પ્રભાવી બનાવવા માટે ચર્ચા થઇ રહી છે. નકવીએ શેર વાંચતા કહ્યું કે તુ દરિયામેં તૂફાન ક્યાં દેખતા હે, ખુદા હે નિગેહબાન ક્યાં દેખતા હે. તૂ હાકિમ બના હે તો ઇન્સાફ દેકર, તૂ હિન્દૂ-મુસલમાન ક્યાં દેખતા હે.
બિલ વિરુદ્ધ JDUનુ વોકઆઉટ
બિલ પર ચર્ચા દરમિયાન જેડીયૂ સાંસદ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે એમની પાર્ટી ત્રિપલ તલાક બિલ સાથે નથી. એમણે કહ્યું કે દરેક પાર્ટીની એક વિચારધારા હોય છે અને તેના પાલન માટે તે સ્વતંત્ર છે. એમણે કહ્યું કે વિચારની યાત્રા ચાલતી રહે છે અને તેની ધારાઓ વહેંચાતી રહે છે પરંતુ ખતમ નથી થતી. બાદમાં રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલના વિરોધમાં જેડીયૂએ વોકઆઉટ કર્યું.
વોટ બેંક નહીં, નારી ન્યાયનો સવાલ: રવિશંકર
રવિશંકર પ્રસાદે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ કાર્યવાહી નહોતી થઇ રહી અને નાની-નાની વાતો પર ત્રણ તલાક આપવામાં આવતો હતો. અમે આ કારણે જ કાનૂન લાવ્યા છીએ. મંત્રીએ કહ્યું કે લોકોની ફરિયાદ બાદ બિલમાં કેટલોક બદલાવ કરવામાં આવ્યો છે. હવે આ બિલમાં વધુ સમજુતીની જોગવાઇ પણ રાખવામાં આવી છે. આ સવાલને વોટ બેન્ક ન સમજવામાં આવે, આ સવાલ નારી ન્યાય, નારી ગરિમા અને નારી ઉત્થાનનો સવાલ છે. કાનૂન મંત્રીએ કહ્યું કે એક તરફ દિકરી ફાઇટર પ્લેન ચલાવી રહી છે અને બીજી તરફ ત્રિપલ તલાકની પીડિત પુત્રીઓને ફુટપાથ પર ન છોડી શકાય. એમણે ગૃહમાં બિલ પાસ કરવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે કેન્દ્રની મોદી સરકારે રાજ્યસભામાં આરટીઆઈ એક્ટ બિલને સંશોધન સાથે પાસ કરાવ્યું હતું. જેમાં બીજુ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ અને YSR કોંગ્રેસનું સરકારને સમર્થન મળ્યું હતું. ત્રિપલ તલાક બિલ પાસ થયા બાદ હવે મુસ્લિમ મહિલાઓના એક સાથે ત્રણ તલાક આપનાર વ્યક્તિને જેલ થઈ શકે છે. લેખિત, મૌખિક કે પછી મેસેજ મારફતે અપાતી તલાક ગેરકાયદેસર ગણાશે. આટલું જ નહી એકસાથે ત્રણ તલાક આપીને સંબંધો પણ પૂર્ણ વિરામ લગાવી દેવાનું કૃત્ય બિનજામીન પાત્ર ગણાશે.
આટલું જ નહી એકસાથે ત્રણ તલાક આપીને સંબંધો પણ પૂર્ણ વિરામ લગાવી દેવાનું કૃત્ય બિનજામીન પાત્ર ગણાશે. ત્રણ તલાક બિલમાં સજાને લઈને જે જોગવાઈ નક્કી કરવામાં આવી છે, તેનો વિપક્ષો વિરોધ કરી રહ્યા છે.
આજે રાજ્યસભામાં ત્રિપલ તલાક બીલ રજૂ કરવામાં આવશે. લોકસભામાં બીલ પસાર થતાં સરકાર આજે રાજ્યસભામાં રજૂ કરશે. રાજ્યસભામાં ત્રિપલ તલાક બીલ પસાર કરાવવું ભાજપ માટે મોટો પડકાર છે. જો કે ભાજપે તમામ સાંસદોને હાજર રહીને બિલના સમર્થનમાં મતદાન કરવા વ્હીપ જારી કર્યો છે.
ત્રણ તલાક બિલમાં સજાને લઈને જે જોગવાઈ નક્કી કરવામાં આવી છે, તેનો વિપક્ષો વિરોધ કરી રહ્યા છે. રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પસાર કરાવવું ભાજપ માટે મોટો પડકાર હતો. ભાજપે તમામ સાંસદોને હાજર રહીને બિલના સમર્થનમાં મતદાન કરવા વ્હીપ જારી કર્યો હતો. આ અગાઉ રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પસાર કરવામાં ભાજપને અસફળતા મળી હતી.
PM મોદીનું ટ્વીટ
લોકસભા બાદ હવે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પાસ થઇ ચૂક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તમામ પાર્ટીઓ અને સાંસદોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તમામ પાર્ટીઓ અને સાંસદોને ધન્યવાદ પાઠવું છું જેમણે સંસદના બંન્ને સદનોમાં મુસ્લિમ મહિલાઓ વિધેયક-2019 પાસ કરાવવા માટે પોતાનું સમર્થન આપ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ પગલું ભારતના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સમગ્ર દેશ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો મુસ્લિમ માતા-બહેનોની જીત થઇ છે અને સન્માનથી જીવવાનો હક મળ્યો છે. સદીઓથી ત્રિપલ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક અવસર પર હું તમામ સાંસદોનો આભાર વ્યક્ત કરું છું.