ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે અને તેનો કાયદો બનવાનું નક્કી છે. રાજ્યસભામાં વિપક્ષોની નીતિને જોઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. આ મામલે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વિપક્ષો પર પ્રહાર કર્યા છે.
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ રાજ્યસભામાં ટ્રીપલ તલાકનું બિલ પાસ થયા બાદ સરકાર અને વિપક્ષો પર વાર કર્યા છે. રાજ્યસભામાં બિલ પાસ થયું તે સમયે બેથી ત્રણ પાર્ટીના સભ્યોએ વોક આઉટ કર્યું હતું. જેના કારણે આ બિલ પાસ થઈ ગયું છે. જેને લઈને ઓવૈસીએ સવાલો ઉભા કર્યા છે તેમણે કહ્યું કે, આ તમામ પક્ષો મુસલમાનોને પોતાના હિતેચ્છુ દર્શાવતા હોય છે પરંતુ ખરેખર જયારે તેમને મદદ કરવાની આવી તો તેઓ ઉભા રહ્યા ન હતા.
આ ઉપરાંત તેમણે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ કાયદાનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કરશે તેવી આશા વ્યકત કરી છે. કોંગ્રેસ પર વાર કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસે વ્હીપ આપવાની જાહેરાત કરી હતી પણ તેમને સમય મળ્યો ન હતો પરંતુ વ્હીપ આપતા વાર લાગતી નથી.
AIMIM MP, Asaduddin Owaisi on #TripleTalaqBill: It is unconstitutional. I hope the All India Muslim Personal Law Board will challenge it in the Supreme Court. pic.twitter.com/Gg5IGKAGbt
તેમ છતા તેમણે આ બિલના વિરોધમાં મત આપવાનો વ્હીપ પોતાની પાર્ટીના સાંસદોને આપ્યો ન હતો. ગુલામ નબી આઝાદે વ્હીપ મામલે ખુલાસો કર્યો હતો તે સમયના અભાવે વ્હીપ આપી શકાયો ન હતો પરંતુ વ્હીપ આજકાલ તો ફોન પર પણ આપી શકાય છે તેવું ઓવૈસીએ નિવેદન આપ્યું હતું.
ઉલ્લખેનીય છે કે, રાજ્યસભામાં બિલના સમર્થનમાં 99 મત મળતા કાયદો બનવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલાશે. બંને ગૃહમાં બિલ પાસ થતા ઓવૈસી સહિતના મુસ્લીમ કટ્ટર પંથીઓના પેટમાં તેલ રેડાયું છે..અને તેના કારણે તેઓ હવે સત્તા પક્ષ અને વિપક્ષો પર પ્રહાર કરી રહ્યા છે.