આણંદના સોજીત્રાના ડાલી ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. કાર MLA પૂનમચંદ પરમારના જમાઇ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સોજીત્રાના ડાલી ગામ પાસે અકસ્માત
અકસ્માતમા 4 લોકોના ઘટનાસ્થળે મોત
કાર,બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે આજે રક્ષાબંધનના દિવસે જ ગોઝારી ઘટના ઘટી હતી. કાર, બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગંભીર ત્રિપલ અકસ્માતના રૂહકાંપ બનાવમાં ઘટના સ્થળે એક સાથે 6 લોકોને કાળ આંબી જતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ હતી. મૃતક 3 સભ્યો એક જ પરિવારના હોવાથી પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે. આ સાથે જ ઇજાગ્રત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે કારચાલક MLA પૂનમચંદ પરમારના જમાઇ હોવાનું સામે આવ્યું છે. MLA પૂનમચંદ પરમારના જમાઇ કેતન પઢિયાર કાર ચલાવી રહ્યા હતા. પોલીસની તપાસ દરમિયાન કારમાંથી MLA ગુજરાત લખેલું બોર્ડ પણ મળ્યું હતું. મહત્વનું છે કે ધારાસભ્યના જમાઇને અકસ્માતમાં ઇજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે કેતન પઢિયાર સામે માનવવધ કલમ 304 હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
6 લોકોના ઘટનાસ્થેળ જ કરુણ મોત
રક્ષાબંધનના દિવસે આણંદમાં સર્જાયેલી ગોઝારી ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સોજીત્રાના ડાલી ગામ પાસેની કરુણાંતિકાને લઇને માર્ગ રક્તરંજીત બન્યો હતો.જેમાં કિયા કાર, બાઈક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થેળ જ કરુણ મોત નિપજ્યાં હતા. જેમાં 3 સભ્યો એક જ પરિવારના હોવાનું સામે આવતા પરિવાર શોકની કાલિમા ધકેલાયો છે. છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી ગયા હતા. વધુમાં આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
આથી પોલીસ કાફલા સાથે એમ્બ્યુલન્સ સ્ટાફ પણ દોડી આવ્યો હતો. જ્યાં મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થતાં માર્ગ પરઆ વાહનોના થપ્પ લાગ્યા હતા. આ ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ આદરી છે.