ટીએમસીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરાયેલા એક ટ્વિટને કારણે અટકળો થઈ રહી છે કે સીએમ મમતા બેનરજી 2024 માં વારાણસીથી પીએમ મોદીની સામે ચૂંટણી લડશે.
મમતા 2024 માં પીએમ મોદીને વારાણસીમાં ટક્કર આપશે-ટીએમસી
પીએમ મોદી તમે સુરક્ષિત બેઠકની શોધ કરજો-ટીએમસી
મમતાના બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનો કોઈ સવાલ જ નથી
ટીએમસીએ ગુરુવારે રાતે ટ્વિટ કરીને જણાવ્યું કે દીદી નંદીગ્રામથી જીતી રહ્યાં છે. બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનો તો કોઈ સવાલ જ નથી. નરેન્દ્ર મોદી જી, પશ્ચિમ બંગાળમાં નોમિનેશનનો અંત આવી ચૂક્યો છે. લોકોને જુઠુ બોલીને ગેરમાર્ગે ન દોરો. 2024 માં સુરક્ષિત બેઠકની શોધ કરજો કારણ કે તમને વારાણસીમાં પડકાર આપવામાં આવશે.
‘Contesting from second seat?’
PM Modi jabs Mamata Banerjee
Yes Mr. Prime Minister, she will.
And it will be Varanasi!
ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ પણ ટોણો મારતા કહ્યું કે બીજી બેઠક પરથી ચૂંટણી લડવી, પીએમ મોદીએ મમતાનો ટોણો માર્યો. હા. મિસ્ટર પીએમ, તે બીજી બેઠક પરથી ચૂંટણી લડશે અને તે વારાણસી હશે. ત્યાં જાવ અને તમારી સેનાને તૈયાર રાખો.
Didi is winning Nandigram. The question of her fighting from another seat doesn't arise. @narendramodi Ji, retract from your efforts to mislead people before they see your lies with the end of nomination in WB. Look for a safer seat in 2024, as you will be challenged in Varanasi.
— All India Trinamool Congress (@AITCofficial) April 1, 2021
પીએમ મોદીએ આપ્યું મમતાને લઈને નિવેદન
પીએમ નરેન્દ્ર મોદીએ તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી પર નિશાન સાધતા સવાલ કર્યો કે શું તે બીજી સીટ પરથી ચૂંટણી લડશે. કેમ કે નંદીગ્રામમાં તેમની હાર થતી દેખાઈ રહી છે. આના થોડાક કલાક બાદ બંગાળની સત્તારુઢ દળે સ્પષ્ટ કર્યુ કે આવો કોઈ ઈરાદો નથી.
મમતાનો બીજી કોઈ સીટથી ચૂંટણી લડવાનો કોઈ સવાલ જ નથી કેમ કે ...
પાર્ટીના એક અન્ય નેતાનું નામ ન લેવાના અનુરોધની સાથે કહ્યું કે મમતાનો બીજી કોઈ સીટથી ચૂંટણી લડવાનો કોઈ સવાલ જ નથી કેમ કે તે નંદીગ્રામ સીટ પર સરળતાથી જીત મેળવશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં હિંસાની નાની મોટી ઘટનાઓ અને મતદાનમાં ગળબડીના આરોપ છતાં સાંજે 5 વાગ્યા સુધી 80 ટકાથી વધારે મતદાન થયું છે.
ભાજપે ચૂંટણી બૂથ પર કરી ગળબડી- ટીએમસી
બૂથ પર કબ્જો કરવા અને પક્ષાપાતપૂર્ણ વ્યવહારના આરોપોની વચ્ચે ચૂંટણી પંચે બોયલ ગામની ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. જ્યાં ભાજપના સમર્થકોના કથિત ઘેરાવના કારણે તૂણમૂલ કોંગ્રેસ પ્રમુખ લગભગ 2 કલાક માટે રોકાયેલી રહી.