પીએમ નરેન્દ્ર મોદીએ તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી પર સાધેલા નિશાન પર ટીએમસીએ આપ્યો જડબાતોડ જવાબ.
પીએમ મોદીએ આપ્યું મમતાને લઈને નિવેદન
સુખેંદુ શેખર રોયે કહ્યું કે પીએમે ‘માફી માંગવી જોઈએ.’
ભાજપના નેતા જયપ્રકાશ મજૂમદારે પણ પીએમનું નિવેદન વાગોળ્યું
પીએમ મોદીએ આપ્યું મમતાને લઈને નિવેદન
પીએમ નરેન્દ્ર મોદીએ તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી પર નિશાન સાધતા સવાલ કર્યો કે શું તે બીજી સીટ પરથી ચૂંટણી લડશે. કેમ કે નંદીગ્રામમાં તેમની હાર થતી દેખાઈ રહી છે. આના થોડાક કલાક બાદ બંગાળની સત્તારુઢ દળે સ્પષ્ટ કર્યુ કે આવો કોઈ ઈરાદો નથી.
ભાજપના નેતા જયપ્રકાશ મજૂમદારે પણ પીએમનું નિવેદન વાગોળ્યું
ભાજપના નેતા જયપ્રકાશ મજૂમદારે પ્રધાનમંત્રીની વાત વાગોળતા કહ્યું કે બેનર્જી નંદીગ્રામમાં આસન્ન હાર બાદ બીજી સીટ પરથી ચૂંટણી લડી શકે છે. જો કે તૃણમુલ કોંગ્રેસે આ અટકળોને ફગાવી દીધી છે. પાર્ટીના સાંસદ સુખેંદુ શેખર રોયે કહ્યું કે પીએમે આવા પાયાવગરના દાવાઓ માટે ‘માફી માંગવી જોઈએ.’
મમતાનો બીજી કોઈ સીટથી ચૂંટણી લડવાનો કોઈ સવાલ જ નથી કેમ કે ...
પાર્ટીના એક અન્ય નેતાનું નામ ન લેવાના અનુરોધની સાથે કહ્યું કે મમતાનો બીજી કોઈ સીટથી ચૂંટણી લડવાનો કોઈ સવાલ જ નથી કેમ કે તે નંદીગ્રામ સીટ પર સરળતાથી જીત મેળવશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં હિંસાની નાની મોટી ઘટનાઓ અને મતદાનમાં ગળબડીના આરોપ છતાં સાંજે 5 વાગ્યા સુધી 80 ટકાથી વધારે મતદાન થયું છે.
ભાજપે ચૂંટણી બૂથ પર કરી ગળબડી- ટીએમસી
બૂથ પર કબ્જો કરવા અને પક્ષાપાતપૂર્ણ વ્યવહારના આરોપોની વચ્ચે ચૂંટણી પંચે બોયલ ગામની ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. જ્યાં ભાજપના સમર્થકોના કથિત ઘેરાવના કારણે તૂણમૂલ કોંગ્રેસ પ્રમુખ લગભગ 2 કલાક માટે રોકાયેલી રહી.