જમ્મૂ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલા સામે દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ વિશ્વ ઉમિયા સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાહીબાગના ગ્રેવર સર્કલથી લઇને શહીદ સ્મારક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ શ્રદ્ધાંજલિ દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સી.કે.પટેલે સંસ્થા દ્વારા શહીદોના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાયની જાહેરાત કરી હતી.
તેમજ સમાજના આગેવાનો દ્વારા પણ સહાય માટે પહેલ કરવામાં આવી હતી. તો રેલીમાં જોડાયેલા દરેકે તંત્ર દ્વારા આંતકી સંગઠન અને પાકિસ્તાન વિરુધ્ધ કાર્યવાહી થવી જોઇએ તેવી માગ કરી હતી.
તેમણે જણાવ્યું કે પુલવામામાં આંતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા. દુઃખની વાત એ છે કે શહીદોને બંદૂક ઉઠાવવાની પણ તક ન મળી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શહીદોની આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ યોજાય છે. વિશ્વ ઉમિયા સંસ્થા દ્વારા પણ શ્રધ્ધાંજલિ આયોજન કરવામાં આવ્યું હતુ.
આ ઉપરાંત સમાજના આગેવાનો દ્વારા પણ સહાય માટે પહેલ કરવામાં આવી હતી. સાથે તમામની એક જ માંગ હતી કે આંતકી સંગઠન અને તેને પાલતા પાકિસ્તાન વિરુધ્ધ કાર્યવાહી થવી જોઇએ.