વડાપ્રધાન મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધન આપવાની સાથે મેજર ધ્યાનચંદના જન્મદિવસને લઈને તેમને શ્રદ્ધાંજલી આપી. સાથેજ તેમણે કહ્યું સ્વચ્છ ભારતના સંકલ્પને મંદ નથી પડવા દેવાનો.
PM મોદીનું મન કી બાત કાર્યક્રમમાં સંબોધન
સ્વચ્છ ભારતના સંકલ્પને મંદ ન પડવા કરી અપીલ
મેજર ધ્યાનચંદને ભાવ પૂર્વ આપી શ્રદ્ધાંજલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓગસ્ટ મહિનાના અંતિમ રવિવારે દેશને સંબોધીત કર્યો. જેમા તેમણે આજે હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસને યાદ કર્યો અને કહ્યું કે મેજર ધ્યાનચંદ આજે જ્યા પણ હશે તેમના વખાણને લઈને તેમની આત્માને ઘણી પ્રસન્નાતા મળતી હશે. ઉપરાંત તેમણે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલી પણ આપી હતી.
મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલી
મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલી આપતા PM મોદીએ કહ્યું કે આજે દેશના યુવાનો આપણા દિકરા-દિકરીઓમાં રમતને લઈને આકર્ષિત થઈ રહ્યા છે. સાથેજ બાળકો રમતમાં આગળ વધે તો માતા પિતાને પણ ખુશી થતી હોય છે. જે બાબત મેજર ધ્યાનચંદ માટે મોટી શ્રદ્ધાજલી આપણે ગણી શકીએ.
સ્વચ્છ ભારતના સંકલ્પને ફરી યાદ કર્યો
વધુમાં તેમણે સ્વચ્છ ભારતનો સંકલ્પ યાદ કરતા કહ્યું કે આજે આપણો દેશ આઝાદીનો અમૃત મનાવી રહ્યો છે. પરંતુ સ્વચ્છ ભારત અભિયાનનો સંકલ્પ આપણે મંદ નથી પડવા દેવાનો. સાથેજ તેમણે કહ્યું કે જેટલા શહેરો Water Plus City હશે તેટલી સ્વચ્છતા વધશે અને આપણી નદીઓ પણ સાફ રહશે.
આજનો યુવાન નવા રસ્તા બનાવવા માગે છે : PM મોદી
PM મોદીએ વધુંમાં કહ્યું કે આજનો યુવાન રસ્તા પર ચાલવા નથી માંગતો પરંતુ નવા રસ્તા બનાવવા માગે છે. મંજિલ પણ નવી છે. લક્ષ્ય પણ નવું છે. એક વખત જો યુવાન કોઈ બાબતે મન મક્કકમ કરી લે તો તે વસ્તુને પુરી કરવા તે પોતાનો યથાગ પ્રયાસ આપી દેતો હોય છે.
જન્માષ્ટમીના પાવન અવસરને કર્યો યાદ
જન્માષ્ટમીના પર્વને યાદ કરતા PM મોદી બોલ્યા કે જન્માષ્ટમીનો આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો પર્વ છે. તેમણે કહ્યું કે આપણે ભગવાનના બધા રૂપોથી પરિચીત છીએ. નટખટ શ્રીકૃષ્ણથી લઈને વિરાટ રૂપ ધારણ કરવા વાળા શ્રીકૃષ્ણ, શાસ્ત્ર સામર્થ્યથી લઈને શસ્ત્ર સામર્થ્ય સુધીના શ્રીકૃષ્ણ સુધીના રૂપથી આપણે પરિચીત છીએ. આટલુ કહ્યા બાદ તેમણે દરેક દેશવાસિઓને જન્માષ્ટમીના પર્વની સુભકામનાઓ પાઠવી હતી.