આજે ભારતના (અ)ભુતપુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો 94 મો જન્મદિવસ છે. 25 ડિસેમ્બર 1924માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મેલાં અટલ બિહારી વાજપેયી ભારતના 10 માં વડાપ્રધાન તરીકે સત્તા પર આવેલા અટલજીકુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. પિતા કવિ અને શિક્ષક હોવાને કારણે પુત્રને પણ વારસા સ્વરૂપે કવિતા મળી હતી. અટલજીની અનેક કવિતાઓ આજે ભારતીય સહિત વિશ્વના અસંખ્ય લોકોના હ્રદયમાં ચાહના ધરાવે છે.
અટલ બિહારી વાજપેયીની જીવન જરમર
અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું.
તેમણે ગ્વાલિયરની વિટોરીયા કોલેજ (હવે લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી છે.
પ્રજાસત્તાક ભારતના 10માં વડાપ્રધાન તરીકે તમણે અલગ-અલગ કુલ ત્રણ ગાળાઓમાં દેશની સેવામાં પોતાનું યોગદાન પ્રધાનમંત્રીના પદ પર રહીને આપ્યું છે. વર્ષ 1996માં તેઓ 13 દિવસ માટે વડાપ્રધાન પદે રહ્યા. તો વર્ષ 1998-1999માં 13 મહિના અને વર્ષ 1999-2004માં પૂરા 5 વર્ષ દરમ્યાન તેઓ આ પદ પર રહી ચૂક્યા છે.
બાળપણની યાદો
અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિટોરીયા કોલેજ (હવે લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.
તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી છે. પ્રજાસત્તાક ભારતના 10માં વડાપ્રધાન તરીકે તમણે અલગ-અલગ કુલ ત્રણ ગાળાઓમાં દેશની સેવામાં પોતાનું યોગદાન પ્રધાનમંત્રીના પદ પર રહીને આપ્યું છે. વર્ષ 1996માં તેઓ 13 દિવસ માટે..તો વર્ષ 1998-1999માં 13 મહિના અને વર્ષ 1999-2004માં પૂરા 5 વર્ષ દરમ્યાન તેઓ આ પદ પર રહી ચુક્યા છે.
નવ વખત સાંસદમાં મારી એન્ટ્રી
વાજપેયીજી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂકયાં છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ-અલગ ચાર રાજ્યોમાંથી તેઓ એક માત્ર સાંસદ સભ્ય પણ રહી ચુક્યા છે. વર્ષ 1969-1972 દરમ્યાન વાજપેયીજી ભારતીય જન સંઘનાં પ્રમુખ હતાં..જે બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી.
કવિથી પંડિત સુધીની સફર...
હવે અટલજીએ પ્રાપ્ત કરેલા કેટલાક ખિતાબો પર નજર કરીએ તો વર્ષ 1992માં તેમને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તો વર્ષ 1993 કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી પ્રાપ્ત કરી હતી. વર્ષ 1994માં લોકમાન્ય તિલકનો ખિતાબ પણ તેમણે મેળવ્યો હતો.તો વર્ષ 1994માં જ શ્રેષ્ઠ સંસદસભ્યનો દરજ્જો તેમને મળ્યો હતો. વર્ષ 1994માં ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ પણ તેમણે પ્રાપ્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપાઇ વડાપ્રધાન બનશે તેવી ભવિષ્યવાણી ભારતના પુર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ કરી હતી. 4 રાજ્યના સાંસદ બનવાનું શ્રેય એકમાત્ર અટલજીના ફાળે જાય છે. અટલ બિહારી વાજપાઇને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.
રાજકોટ સાથે નજીકની આત્મિયતા..
ગુજરાતના રાજકોટ શહેર સાથે પણ તેમને વિશેષ સંબંધ રહેલો છે. રજપૂતપરામાં આવેલ હેડગેવાર ભવન સામે આવેલ ભટ્ટ બિલ્ડીંગમાં આવેલ ઘરમાં જનસંઘી નેતા ચીમનભાઇ શુક્લના ફૈબા સાથે તેમને અનોખી આત્મિયતા હતા. જ્યારે પણ અટલજી રાજકોટ આવે ત્યારે કાશીબાને મળવા અચૂક આવે. તો આ તરફ કાશીબા જો મુંબઇ હોય અને ચૂંટણી આવે તો તેઓ મુંબઇથી મતદાન કરવા માટે રાજકોટ આવતા. આજે તેમનો 94મો જન્મદિવસ છે ત્યારે તેઓ સદેહે હાજર નથી પરંતુ તેમની રચના અચૂક યાદ આવે છે...
" હર 25 ડીસેમ્બર કો
જીનેકી એક નઈ સીઢી ચઢતા હું
નયે મોડ પર ઔરો સે કમ
સ્વયં સે જ્યાદા લડતા હું "
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે)