સિક્કીમમાં શહીદ થયેલા ખેડાના વીર જવાનનો પાર્થિવ દેહ વતનમાં લાવવામાં આવ્યો હતો. શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા આખું શહેર ઉમટ્યું હતું
ખેડામાં વીર જવાને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે. ઘડિયા ગામના વીર જવાનનો પાર્થિવ દેહ વતન લાવવામાં આવ્યો છે. સપુત હિતેશસિંહ પરમારનું સિક્કીમમાં અવસાન થયુ હતું. વીર જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકો ઉમટ્યા હતાં. ઘડિયા ગામે હિતેશસિંહ અમર રહોના નારાથી ગુંજી ઉઠ્યું હતું.