LRD ભરતી મામલે જાતિ પ્રમાણપત્રને મુદ્દે વિવાદ મામલે આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે બાંધછોડ નહીં કરવામાં આવે. સરકાર કોઇ ખોટા આદિવાસીને પ્રમાણપત્ર નહીં આપે. સરકાર આદિવાસીઓના હકનું રક્ષણ કરશે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક પક્ષો આદિવાસીઓને ગેરમાર્ગે દોરો છે. આ અંગે મુખ્યંત્રી વિજય રૂપાણીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી દીધી છે. તો વસાવાએ કોંગ્રેસ પર પણ કેટલાક આક્ષેપો લગાવ્યા હતા.
આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે બાંધછોડ કરવામાં નહીં આવેઃ વસાવા
સરકાર કોઇ ખોટા આદિવાસીને પ્રમાણપત્ર નહીં આપેઃ વસાવા
કોંગ્રેસ જવાબ આપે કે કોણે ચારણ, રબારી, ભરવાડને આદિવાસી બનાવ્યાઃ વસાવા
LRD ભરતી મામલે જાતિ પ્રમાણપત્રને લઇ વિવાદ થયો છે. ત્યારે આદિજાતી પ્રમાણપત્રોને લઇ ગણપત વસાવાએ નિવેદન આપ્યું હતું. વસાવાએ કહ્યું કે આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે બાંધછોડ કરવામાં નહીં આવે. 2322 ઉમેદવારોના જાતિપત્ર ચકાસણીનું કામ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે ટીમ બનાવી હતી તેને ચકાસણી કરી છે. 2100 ઉમેદવારોની ખરાઇ કરી લીસ્ટ ગૃહવિભાગને આપ્યું છે.
કોંગ્રેસ જવાબ આપે કે કોણે ચારણ, રબારી, ભરવાડને આદિવાસી બનાવ્યાઃ વસાવા
વસાવાએ કહ્યું હતું કે, ગીરમાં વસવાટ કરતા ચારણ, ભરવાડ, રબારી આદિવાસી છે. 1956માં આદિવાસીમાં સમાવેશ અંગેના પુરાવા છે. ખોટા પ્રમાણપત્રો પર કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસ જવાબ આપે કે કોણે ચારણ, રબારી, ભરવાડને આદિવાસી બનાવ્યા. કોંગ્રેસની સરકારે ખોટા પ્રમાણપત્રો આપ્યા હતા. જ્ઞાતિ ચકાસણીનો કાયદો ભાજપ સરકાર લાવી છે. LRD વિવાદમાં કેસ ટુ કેસ ચકાસણી તપાસ માટે અમે તૈયાર છીએ. 1956માં 480 પરિવારોને આદિજાતી પ્રમાણપત્ર અપાયા હતા.