ભારત બાયોટેક ICMR અને NIVએ મળીને નિર્માણ કરેલી કોવૈક્સીનના બુસ્ટર ડોઝનું ટ્રાયલ શરુ થવા જઈ રહ્યુ છે.
ત્રીજા ચરણના ટ્રાયલના પરિણામમાં રસી 81 ટકા સુધી અસરકારક
19.60 કરોડથી વધારે લોકોનું રસીકરણ
બાયોટેક દ્વારા દેશના 25, 800 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર કોવેક્સીનના ત્રીજા ડોઝનું ક્લીનિકલ ટ્રાયલ શરુ થશે. આ ટ્રાયલ દરમિયાન બીજા ચરણના ટ્રાયલમાં સામેલ કેટલાક વોલેન્ટિયર્સને બૂસ્ટર ડોઝ મળશે. 81 ટકા એફિકેસી વાળી કોવૈક્સીનનો બૂસ્ટર ડોઝ લેનારામાં આ જોવામાં આવશે કે કોરોના સંક્રમણથી બચવા માટે આ કેટલી ઈમ્યૂનિટી વધારી શકે છે.
ત્રીજા ચરણના ટ્રાયલના પરિણામમાં રસી 81 ટકા સુધી અસરગ્રસ્ત
કોવેક્સીનની ત્રીજા ચરણના ટ્રાયલના પરિણામ માર્ચમાં સામે આવ્યા હતા. ત્રીજા ચરણના ટ્રાયલના પરિણામમાં રસી 81 ટકા સુધી અસરકારક જોવા મળી છે. ભારત બાયોટેક દ્વારા દેશના 25, 800 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા હતા. જે આઈસીએમઆરની ભાગીદારીમાં અત્યાર સુધીના સૌથી મોટા ટ્રાયલ્સ હતા. કૌવેક્સીનના ટ્રાયલ મુજબ એવા લોકોને કોવિડ 19થી સંક્રમિત નહોતા થયા. તેમનામાં આ રસી 81 ટકા સુધી અસરકારક છે.
19.60 કરોડથી વધારે લોકોનું રસીકરણ
કોરોનાથી બચવા માટે દેશમાં આપવામાં આવેલા રસીના ડોઝની સંખ્યા રવિવારે વધીને 19.60 કરોડને પાર થઈ ગઈ. મંત્રાલયે કહ્યુ કે કુલ 19,60,051,962 ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદન મુજબ આમાંથી 97,52,900 સ્વાસ્થ્ય કર્મીઓ એવા છે જેમને રસીનો પહેલો ડોઝ મળ્યો છે. જ્યારે 67,00,614 સ્વાસ્થ્યકર્મી એવા છે જેમને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. મનાઈ રહ્યુ છે કે ફ્રન્ટલાઈન વોરિયર્સને 1,49,52,345 કર્મીઓને રસીનો પહેલો ડોઝ મળશે અને ફ્રન્ટ લાઈન વોરિયર્સના 83,26,534 કર્મીઓને બીજો ડોઝ મળ્યો છે. 18થી 44 વર્ષના 99,93,908 લોકોને પહેલો ડોઝ મળ્યો જ્યારે 45થી 60 વર્ષના 6,06,90,560 પહેલો ડોઝ તથા 97,87,289ને બીજો ડોઝ મળ્યો છે. જ્યારે 60 વર્ષથી વધારેની ઉંમરના 5,65,55,558ને પહેલો ડોઝ મળ્યો અને 1,82,44,476 લોકોને બીજો ડોઝ મળ્યો.