સ્વાતંત્ર્ય દિવસ અગાઉ જમ્મુ કશ્મીરનાં શ્રીનગરમાં લાલ ચૌકમાં ત્રિરંગો લહેરાતો જોવા મળ્યો હતો જેની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી.
સોશ્યલ મીડિયા પર શ્રીનગરની એક તસવીર વાયરલ થઈ છે. જેના પગલે જમ્મુ કશ્મીરમાં આર્ટીકલ 370 હટ્યા બાદ જોવા મળેલા ફેરફાર વિષે લોકોએ ચર્ચા છેડી હતી.
જમ્મુ કશ્મીરમાં આર્ટીકલ 370 હટ્યા બાદ અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. સ્વાતંત્ર્ય દિવસ નજીક આવી રહ્યો હોવાથી જમ્મુ કશ્મીરમાં પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે શ્રીનગરમાં લાલ ચૌકના ઘંટાઘરમાં ભારતનો ત્રિરંગો જોવા મળ્યો હતો.
સોશ્યલ મીડિયા પર વાયરલ ત્રિરંગો
એવું માનવામાં આવે છે કે અગાઉ લાલ ચોક પર ક્યારેય ત્રિરંગો લહેરાય તો વિવાદ થઈ જતો હતો. પરંતુ હવે આર્ટીકલ 370 હટ્યા બાદ આ ફેરફાર જોવા મળ્યો છે. લાલ ચૌકમાં ત્રિરંગાની તસવીર જોવા મળી હતી. જે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગઈ હતી. એક તરફ લોકો સોશ્યલ મીડિયામાં તેનાં વખાણ કરતાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ શ્રીનગરના મેયર અને ભાજપ નેતા તેજીન્દર પાલ સિંઘ બગ્ગા સહિત અનેક લોકોએ આ ફોટો રિશેર પણ કર્યો હતો. શ્રીનગરના મેયર બગ્ગાએ લખ્યું હતું કે સ્વતંત્રતા દિવસ અગાઉ લાલ ચોક સ્થિત ઘંટાઘટને ત્રિરંગાથી રોશન કરી દેવામાં આવ્યું હતું. નવી ઘડિયાળો પણ લગાવી દેવામાં આવી હતી. શ્રીનગર નગર નિગમ દ્વારા સરસ કામ કરવામાં આવ્યું હતું.
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) August 6, 2021
નવી ઘડિયાળો લગાવવામાં આવી છે
બગ્ગાએ ટ્વિટમાં લખ્યું, "તેઓ કહેતા હતા કે લાલ ચોકમાં તિરંગો ફરકવા દેવામાં આવશે નહીં, મોદીજીએ લાલ ચોકમાં જ તિરંગો લહેરાવ્યો હતો." અહીં શ્રીનગરના મેયરે ટ્વિટ કર્યું કે, 'અમે સ્વતંત્રતા દિવસ પહેલા લાલ ચોકમાં ક્લોક ટાવરને તિરંગાના રંગથી રોશની કરી છે. નવી ઘડિયાળો લગાવવામાં આવી છે. શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટું કામ કર્યું હતું. અગાઉ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર (LG) મનોજ સિંહાએ 5 ઓગસ્ટના રોજ શ્રીનગરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે એક રમત સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું હતું.
1992 માં અહીં જ લહેરાયો હતો ત્રિરંગો
1992 માં ભાજપના નેતા મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદીએ અહીં જ ત્રિરંગો લહેરાવ્યો હતો. મુરલી મનોહર જોશી ત્યારે ભાજપના અધ્યક્ષ હતા અને નરેન્દ્ર મોદી એકતા યાત્રાના સંયોજક હતા. ત્યારથી આ ચોક ખૂબ પ્રસિદ્ધ છે.