કોરોના વાયરસ રોગચાળાની સારવારના કિસ્સામાં એક સારા સમાચાર સામે આવ્યા છે. ટ્રાયલમાં બહાર આવ્યું છે કે કોવિડ 19ના હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જેનરિક સ્ટેરોઇડ ડેક્સામેથેસોનની ઓછી માત્રા આપવાથી ચેપના સૌથી ગંભીર કેસોમાં પણ મૃત્યુદર એક તૃત્યાંશ સુધીનો ઘટાડો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે પરિણામ કોરોના વાયરસ સામે મોટી સફળતા છે.
યુકેના વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા
યુકેએ એ સ્ટેરોઈડનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધુ
આ દવાથી મૃત્યુદરમાં ઘટાડો કરી શકાશે
આ ક્લિનિકલ ટ્રાયલ યુકેના નેતૃત્વ વાળા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું છે. જેને ‘રિકવરી’ નામના આપવામાં આવ્યું છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ કોરોના વાયરસનો રોગચાળો અનુભવતા દર્દીઓને ધ્યાનમાં રાખીને આની પ્રાથમિકતાના આધારે દવાને સારવારમાં સમાવવી જોઇએ.
ક્લિનિકલ ટ્રાયલનું નેતૃત્વ કરી રહેલા યુનિવર્સિટી ઓક્સફર્ડના પ્રોફેસર માર્ટિન લેન્ડ્રેએ જણાવ્યું હતું કે, "આ એક પરિણામ છે જે બતાવે છે કે કોવિડ -19નાં દર્દીઓ કે જેઓ વેન્ટિલેટર અથવા ઓક્સિજન પર હોય છે, તેમને ડેક્સામેથેસોન આપવામાં આવે છે તો તે દર્દીનું જીવન બચાવી શકે છે. આટલું જ નહીં આ ઓછા ખર્ચે થઈ શકે છે. "
તેમના સાથી પીટર હોર્બીના જણાવ્યા અનુસાર, ડેક્સામેથેસોનએ સામાન્ય સ્ટીરોઈડ છે. જે સોજો ઘટાડવા માટે અન્ય રોગોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તે એકમાત્ર એવી દવા છે જેણે અત્યાર સુધી મૃત્યુદરમાં ઘટાડો કર્યો છે. હોર્બીએ તેને એક મોટી સફળતા તરીકે વર્ણવ્યું. યુકેના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે મંગળવારે કહ્યું કે યુકેએ કોરોના વાયરસના દર્દીઓને તરત જ ડેક્સામેથેસોન આપવાનું શરૂ કર્યું છે.
તેમણે કહ્યું કે ત્રણ મહિના પહેલા યુકેએ આ ડ્રગની ક્ષમતાની તપાસ કર્યા પછી ડ્રગનો વ્યાપક સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું, "કારણ કે અમે પહેલેથી જ ડેક્સામેથેસોનની સંભાવનાનું પરીક્ષણ કર્યું હતું. તેથી અમે તેને માર્ચથી સ્ટોક કરી રહ્યાં છે. " ઉલ્લેખનીય છે કે, અત્યારે કોવિડ -19 માટે કોઈ માન્ય સારવાર અથવા રસી સારવાર નથી. હાલમાં આખી દુનિયા કોરોના રોગચાળોનો સામનો કરી રહી છે અને તેના કારણે વિશ્વભરમાં ચાર લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.