ડોક્ટરો ખુલ્લી દુકાન નહીં ચલાવી શકે, મેડિકલ ઇક્વિપમેન્ટ પણ વેચી નહીં શકે
નાના શહેરોમાં રહેતા દર્દીઓને થશે મોટી રાહત
નેશનલ મેડિકલ કમિશન દર્દીઓ પાસેથી મનમાની રીતે પૈસા વસૂલતા ડોક્ટરો પર કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. એનએમસી દ્વારા બહાર પાડવામાં આવેલી આચારસંહિતાના મુસદ્દામાં જણાવાયું છે કે ડોકટરો હવે દર્દીઓને મોંઘી બ્રાન્ડેડ દવાઓ વેચી શકશે નહીં. જો કે, ડોકટરોને તેમના દર્દીઓને દવાઓ વેચવા પર પ્રતિબંધ રહેશે નહીં. નેશનલ મેડિકલ કમિશનના જણાવ્યા અનુસાર ડોક્ટરો હવે ખુલ્લી દુકાન ચલાવી શકશે નહીં કે મેડિકલ ઇક્વિપમેન્ટ વેચી શકશે નહીં.
નાના શહેરોના દર્દીઓને વધારે લાભ મળશે
નવી જોગવાઈમાં ડોક્ટર પોતાના દર્દીને એ જ દવા વેચી શકે છે, જેની સારવાર તે પોતે જ કરી રહ્યો છે. સાથે જ ડોક્ટરોએ પણ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે દર્દીઓનું શોષણ ન થાય. નેશનલ મેડિકલ કમિશને ડોક્ટરો માટે પ્રોફેશનલ આચાર સંહિતામાં ફેરફાર કરતી વખતે અનેક જોગવાઈઓ કરી છે. એનએમસીની આ જોગવાઈ બાદ નાના શહેરોના દર્દીઓને સૌથી વધુ લાભ મળશે. કારણ કે, નાના શહેરોમાં ક્લિનિક ચલાવતા ડોક્ટરો પોતાની દુકાનો ખોલીને દર્દીઓને દવા વેચે છે તેવું જોવા મળ્યું છે.
એનએમસીની નવી ગાઇડલાઇન્સ
નેશનલ મેડિકલ કમિશને જે ગાઈડલાઈન્સ બહાર પાડી છે તેને કારણે નાના શહેરના દર્દીઓને મોટી રાહત મળશે. સારવારના નામે નાના શહેરો અને ગામડાઓમાં ગરીબ લોકોને વધુ પૈસા ખર્ચવા પડે છે. પરંતુ, હવે નેશનલ મેડિકલ કમિશન દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારથી દર્દીઓને મોટી રાહત મળે તેવી શક્યતા છે.
ડોક્ટરો હવે ખુલ્લી દુકાન ચલાવી શકશે
નહીં એનએમસીની માર્ગદર્શિકા અનુસાર, ડોકટરો ખુલ્લી દવાની દુકાન ચલાવી શકતા નથી અથવા તબીબી ઉપકરણો વેચી શકતા નથી. તે જ દવાઓ વેચી શકાય છે, જેની સારવાર તે પોતે જ કરી રહ્યો છે. આ સાથે જ હવે એનએમસીએ તબીબોને સૂચના આપી છે કે, પ્રિસ્ક્રિપ્શન પર રજિસ્ટ્રેશન નંબર તેમજ ફી અગાઉથી જાહેર કરવામાં આવે.
કોઈ દર્દીને ધર્મને આધારે સારવાર આપવાનો ઈન્કાર નહીં કરી શકે ડોક્ટર
નેશનલ મેડિકલ કમિશનની આચારસંહિતા પ્રમાણે ડોક્ટર ધર્મના આધારે કોઈ પણ દર્દીને સારવાર આપવાનો ઇનકાર નહીં કરી શકે. તે તે ઉપરાંત નસબંધીના કેસમાં પતિ-પત્ની બંનેની પરવાનગી લેવી ફરજિયાત રહેશે. સાથે જ પહેલા વર્ષથી લઈને અંતિમ વર્ષ સુધીના મેડિકલના વિદ્યાર્થીઓને એ જણાવવાનું રહેશે કે તેઓ ડોક્ટર નહીં પરંતુ વિદ્યાર્થીઓ છે.
નેશનલ મેડિકલ કમિશનની મહત્વની જોગવાઈઓ
(1) ડોક્ટરો દર્દીઓને મોંધી દવાઓ નહીં વેચી શકે
(2) ડોકટરો ખુલ્લી દુકાનો નહીં ચલાવી શકે
(3) મેડિકલ ઉપકરણો નહીં વેચી શકે
(4) ધર્મના આધારે દર્દીને સારવારનો ઈન્કાર નહીં કરી શકે
(5) નસબંધીના કેસમાં પતિ-પત્ની બંનેની પરવાનગી ફરજિયાત