બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટરોલ અને ડાયાબિટીસ એ આજના જમાનાની એવી બીમારી છે, જેના ભરડામાં કરોડો ભારતીય છે. દર પાંચ યુવાન ભારતીયમાંથી એક બ્લડપ્રેશરથી પીડાય છે. કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની વાર્ષિક કોન્ફરન્સમાં અપાયેલા આંકડા મુજબ દેશમાં ૮ કરોડ લોકોને બીપીની સમસ્યા છે. ચિંતાની વાત એ છે કે સાવ નાની વયના યુવાનો બીપીનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત ખાન-પાનની ટેવ, તણાવ અને કસરતના સદંતર અભાવના કારણે દેશમાં કરોડો લોકોને હાઇ કોલેસ્ટરોલની પણ સમસ્યા છે.
બીપી અને કોલેસ્ટરોલ હાર્ટએટેકને નિમંત્રણ આપી શકે છે. આવા દર્દીઓએ જીવનપર્યંત દવાઓ લેવી પડે છે, જે અનેક આડઅસર પેદા કરે છે ત્યારે ભારતીય સંશોધકોએ એવાં કુદરતી પીણાં (કોકટેલ) પર સંશોધન કર્યું છે, જે લોકોને આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે તેમ છે.
આ ઉપરાંત આ કોકટેલ આરોગ્યને અન્ય રીતે પણ ઘણું લાભકારી છે. નેશનલ ઇિન્સ્ટટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એનઆઈટી), રૂરકેલાના સંશોધન અનુસાર ગ્રીન ટી-સોયા પ્રોટીન અને દહીંમાંથી કાઢવામાં આવતા બેક્ટેરિયાનું કોકટેલ હાઇ કોલેસ્ટરોલ અને બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થયું છે. સંશોધકો કહે છે કે તેમના અભ્યાસોએ બતાવ્યું છે કે દહીંના બેક્ટેરિયા વાનગીઓમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડી શકે છે અને હાઇ બ્લડપ્રેશર માટે જવાબદાર એન્ઝાઇમને નિષ્ક્રિય બનાવે છે.
અલબત્ત, આ પ્રયોગ લેબોરેટરીની પેટ્રી ડિશમાં કરાયા છે. પ્રાણી કે મનુષ્ય પર તેનો પ્રયોગ કરવાનો બાકી છે, જોકે પ્રયોગમાં સામેલ ત્રણેય વસ્તુઓ આરોગ્ય માટે લાભકારી હોવાનું અનેક સંશોધનમાં બહાર આવ્યું છે. તેનું કોકટેલ માનવી માટે પણ બહુ ઉપયોગી હોવાનું ખરેખર સાબિત થાય તો કરોડો દર્દીઓ દવા ખાવાથી અને તેની આડઅસરથી બચી શકશે એટલું જ નહીં, લાખો લોકોના જીવ પણ બચાવી શકાશે તેવી સંશોધકોને આશા છે. એનઆઇટીના જીવવિજ્ઞાન વિભાગના ફૂડ બાયોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે પ્રોબાયોટિક્સ એટલે કે લાભકારી બેક્ટેરિયા વિના આપણું પાચનતંત્ર યોગ્ય રીતે ચાલી શકે નહીં પણ આ બેક્ટેરિયા શરીરને અન્ય રીતે પણ અનેક રીતે લાભકારી હોય છે. જે લોકો નિયમિત દવા લેતા હોય તેમના શરીરમાં લાભદાયી બેક્ટેરિયાનો પણ ખાતમો થતો હોય છે.
આપણા ત્યાં પરંપરાગત રીતે ભોજનમાં દહીં-છાશ લેવાની પરંપરા છે કે જેમાં આવા બેક્ટેરિયા વિપુલ પ્રમાણમાં હોય છે. સંશોધકો કહે છે કે પ્રોબાયોટિક્સના આધારે પ્રાકૃતિક ઉત્પાદનો બનાવી શકાશે, જે સ્ટેિટન્સનો વિકલ્પ હશે. સ્ટેિટન એ દવા છે, જે કોલેસ્ટરોલ ઘટાડવા માટે આપવામાં આવે છે. પ્રોબાયોિટક્સ એટલે કે લેક્ટોબેસિલસ એસિડોફિલસ જેવા સૂક્ષ્મ જીવાણુઓ પાચન માટે જરૂરી છે. તેની પૂરતી સંખ્યા હોય તો પાચનશકિત બરોબર રહે છે. વિશ્વભરના તબીબી સંશોધકો હવે આ બેક્ટેરિયા રોગપ્રતિકારકતંત્રને મજબૂત કરવામાં, એલર્જી સામે લડવામાં તેમજ એિન્ટબાયોિટક્સથી થતી આડઅસરને દૂર કરવામાં કેટલા ઉપયોગી છે તેના પર સંશોધન કરી રહ્યા છે.
લેક્ટોબેસિલિયસ રુયુટેરી તરીકે ઓળખાતું પ્રોબાયોટિક કોલેસ્ટરોલને ઓછું કરે છે તે સંશોધનમાં પુરવાર થયું છે. કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના સંશોધકો છેલ્લાં ૧ર વર્ષથી આ પ્રોબાયોટિક પર કામ કરે છે. તેમનું તારણ કહે છે કે આ બેક્ટેરિયાયુક્ત યોગર્ટ સલામત અને કોલેસ્ટરોલ ઘટાડવા માટે અસરકારક છે.
એનઆઈટીના સંશોધકોએ એક "ન્યુટ્રિશનપેક્ડ ફંકશનલ ફૂડ" બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં દહીંના પ્રોબાયોિટક્સ, ગ્રીન ટીના એિન્ટ ઓક્સિડન્ટ્સ અને સોયાના પ્રોટીનમાંથી મળતું પેપ્ટાઇડ્સ હોય. તેમનાં સંશોધન જર્નલ ફૂડ કેમિસ્ટ્રીમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. તેમણે દહીંના બેક્ટેરિયાને સ્ટાન્ડર્ડ દૂધ અને સોયાના અર્કના મિશ્રણમાં ઇન્જેક્ટ કરીને કોકટેલ બનાવ્યું હતું.
આ કોકટેલને ૪ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને રાખવામાં આવે તો ૧પ દિવસ સુધી લઇ શકાય છે. કોલેસ્ટેરોલને ઘટાડવા ખાસ પ્રકારના એન્ઝાઇમ્સને રોકવાની ક્ષમતા ચકાસી હતી. તેમના અભ્યાસોએ સૂચવ્યું છે કે લેક્ટોબેસિલસ હેલિવેટિકસ નામના દહીંના બેક્ટેરિયા કોલેસ્ટરોલ ઘટાડવામાં સૌથી વધુ અસરકારક જણાયા છે. આ ઉપરાંત એન્ટ્રોકોક્કસ ફેસિયમ નામના બેક્ટેરિયા પણ ખાસ્સા અસરકારક છે.