અમદાવાદ: પાટીદાર આંદોલન દરમિયાન અને ત્યારબાદ નોંધાયેલા રાજદ્રોહ કેસ સંદર્ભે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જ્યાં હાર્દિક પટેલ ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયાએ હાજરી આપી હતી. કોર્ટમાં જજ તરફથી પૂછવામાં આવેલા સવાલમાં ત્રણે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલવાનો ઈન્કાર કર્યો હતો.
મહત્વનું છે કે કોર્ટમાં ત્રણે આરોપીઓને સાથે ઉભા રાખવામાં આવ્યા હતા. જ્યાં જજ મહિડાએ પોલીસ દ્વારા નોંધાયેલા ગુનાઓ વાંચ્યા હતા. ત્ચારબાદ ચાર્જ ફ્રેમ તૈયાર કરી હતી. આમ ચાર્જ ફ્રેમ તૈયાર થયા બાદ હાર્દિક પટેલે હાઈકોર્ટમાં જવાની આગામી તૈયારી દર્શાવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
શું હતો હાર્દિક ચિરાગ દિનેશ કેતનનો રાજદ્રોહ કેસ...?
પાસના ચારેય આગેવાનો પર છે રાજદ્રોહનો નોંધાયેલો છે ગુનો
2015માં જીએમડીસી કાંડને લઇને નોંધાયેલો છે ગુનો
અનામત આંદોલન વખતે ઓગસ્ટ 2015માં ગુજરાતમાં ફાટી નિકળ્યા હતા તોફાન
ગુજરાતમાં પોલીસ ચોકીઓને ચળગાવવામાં આવી હતી
ટોળાએ જાહેર મિલ્કતને પહોંચાડ્યું હતું કરોડોનું નુકશાન
ગુજરાતમાં તોફાન ફાટી નિકળે તે માટે ષડયંત્ર ઘડાયાના આક્ષેપ
કેટલાક દિવસો સુધી ગુજરાતમાં ફેલાઇ હતી અશાંતિ
અનેક જગ્યાએ લાગ્યો હતો કરફ્યું અને થયા હતા નેટ બંધ
ગુજરાતમાં અનેક જગ્યાએ બની હતી આગજનીની ઘટનાઓ
આ તમામ માટે હાર્દિક દિનેશ કેતન અને ચિરાગને આરોપી ગણાવાયા હતા
ચારેયને દોષી ગણી રાજ્ય સરકારે લગાવ્યા હતો રાજદ્રોહનો આરોપ
ચારેય સામે લાગી હતી IPCની કલમ 121 124 153-A 153 -Bની કલમ
સરકારને ઉથલાવવાનું ષડયંત્ર માટે લગાવાઇ હતી કલમ 121
સરકાર સામે દ્રેષ અને અસંતોષ ઉભો કરવા લગાવાઇ હતી કલમ 124
સમાજમાં વેમનસ્ય પેદા કરવા માચે લગાવાઇ હતી કલમ 153-A
રાષ્ટ્રિય અખંડિતતા તોડવા માટે કાવતરાની કલમ 153 -B લગાવાઇ હતી