રેલવે પીડિત નીતિન હુંડીવાલાને 3.10 લાખનું વળતર આપે
બોમ્બે હાઈકોર્ટે લોકલ ટ્રેનમાંથી પડી જવાથી ઘાયલ થયેલા એક વૃદ્ધને વળતર ચૂકવવા માટે રેલવેને આદેશ આપ્યો છે. નીતિન હુંડીવાલા નામના 75 વર્ષીય વૃદ્ધને લોકલ ટ્રેનમાંથી પડી જવાને કારણે ઈજા થઈ હતી. ત્યારબાદ તેમણે વળતર માટે રેલ્વે ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો. પરંતુ રેલવે ટ્રિબ્યુનલે નીતિન હુંડીવાલાને વળતર આપવાનો ઇનકાર કરી દીધો હતો. ટ્રિબ્યુનલના ચુકાદાની વિરૃદ્ધમાં નીતિન હુંડીવાલાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી કરતા જસ્ટિસ ભારતી ડાંગરેની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
ખીચોખીચ ભરેલી ટ્રેનમાં સફર કરવી કોઈ ગુનો નથી-હાઈકોર્ટ
નીતિન હુંડીવાલાને 3.10 લાખનું વળતર ચુકવી આપવાનો રેલવેને આદેશ આપતા જસ્ટિસ ભારતી ડાંગરની ખંડપીઠે કહ્યું કે ખીચોખીચ ભરેલી ટ્રેનમાં સફર કરવી કોઈ ગુનો નથી.
ક્યારે અને કેવી રીતે બની ઘટના
23 નવેમ્બર 2021ની વાત છે. જ્યારે નીતિન હુંડીવાલા વિક્રોલી ખાતેની ઓફિસમાંથી દહિસરથી પોતાના ઘરે જવા નીકળ્યા હતા. વિરાર લોકલ ટ્રેનના સેકન્ડ ક્લાસ જનરલ ડબ્બામાં સવાર થયા હતા. ડબ્બામાં લોકોની સારી એવી ભીડ હતી. ટ્રેનમાં ચડતી વખતે ભીડે તેમને ડબ્બાની બહાર ધકેલી દીધો હતો. જેના કારણે તેમનું સંતુલન ખોરવાયું હતું. અકસ્માતે તેનો સીધો પગ લપસ્યો અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં જતો રહ્યો. તે પડી ગયો. તેને માથા અને જાંઘના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.નીતિન હુંડીવાલાને 14 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર પાછળ આશરે 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. સારવાર બાદ પણ તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નહોતા.
વળતર માટે રેલવે ટ્રિબ્યુનલમાં અરજી કરી પણ નામંજૂર થઈ
નીતિન હુંડીવાલાએ વળતર માટે રેલવે ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. આના પર રેલવે ક્લેઈમ્સ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે નિતિન હુંડીવાલાના દાવાને ફગાવી દીધો હતો. રેલવે ટ્રિબ્યુનલે નીતિન હુંડીવાલા સાથેના અકસ્માતને "મૂર્ખ અને ફોજદારી અધિનિયમના કાર્યક્ષેત્રમાં" ગણાવ્યો હતો. નીતિન હુંડીવાલાએ તેની સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
હાઈકોર્ટે 75 વર્ષના વૃદ્ધને ન્યાય અપાવ્યો
આ કેસની સુનાવણી કરતાં જસ્ટિસ ડાંગરેએ કહ્યું હતું કે ટ્રિબ્યુનલે નીતિન હુંડીવાલાના કેસને 'ક્રિમિનલ એક્ટ'ના દાયરામાં લાવવામાં ભૂલ કરી છે જ્યારે તેનું કોઈ કારણ નથી.જસ્ટિસ ડાંગરેએ એવું પણ અવલોકન કર્યું હતું કે નીતિન હુંડીવાલાએ કહ્યું હતું કે અકસ્માત બાદ તેઓ ફરજ પર જઈ શકે તેમ નથી, જેનો અર્થ એ છે કે તેઓ મુસાફરી કરવામાં અસમર્થ છે. આ અકસ્માતને કારણે તેઓ લાંબા સમય સુધી ટકી શક્યા નથી.