ગુજરાતનાં પ્રવાસ આવતા પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં બહારથી આવતા વરિષ્ઠ પ્રવાસીઓને માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત દર્શન યોજના હેઠળ સરકાર આ પ્રવાસીઓને મદદ કરશે. સરકાર આ વરિષ્ઠ પ્રવાસીઓને રૂ.10 હજાર સુધીનો ખર્ચ આપશે.
એક વર્ષમાં મહત્તમ 150 વરિષ્ઠ પ્રવાસીઓને આ લાભ મળશે. ગુજરાતમાં રોકાણનો આ ગાળો 6થી 7 દિવસનો હોવો જરૂરી છે. રાજ્ય સરકારે આ અંગે રજૂ કરેલા અંદાજપત્રમાં રૂ.15 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં ફરવાલાયક સ્થળોની જો વાત કરીએ તો હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા બહારથી અનેક પ્રવાસીઓ આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ આ 182 મીટરની સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસન સ્થળ ગણતા આ વખતે ઓગષ્ટ 2019માં જન્માષ્ટમીની રજાઓ હોવાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અનેક પ્રવાસીઓનો ધસારો જોવાં મળ્યો હતો.
ગત તારીખ 24 ઓગસ્ટનાં રોજ 31,700 પ્રવાસીઓએ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી કે જેને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં અત્યાર સુધીનાં સમયમાં સૌથી વધુ પ્રવાસીઓ કહી શકાય. કહેવાય છે કે એ દિવસે અંદાજે 48 લાખ રૂપિયા જેટલી આવક થઈ હતી.
ત્યારે મહત્વનું છે કે સરકારે આ પ્રવાસીઓને ધ્યાનમાં રાખી હવે રાજ્યમાં બહારથી આવતા વરિષ્ઠ પ્રવાસીઓને માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેને લઇ સરકાર આ વરિષ્ઠ પ્રવાસીઓને રૂ.10 હજાર સુધીનો ખર્ચ આપશે. પરંતુ સામે શરત એ રહેશે કે ગુજરાતમાં તેમનાં રોકાણનો આ ગાળો 6થી 7 દિવસનો હોવો જરૂરી છે.