જ્યારે પણ આપણે વેકેશન પર જઇએ છીએ તો ડેલી રૂટિનથી એક બ્રેક લઇને થોડા રિલેક્સ થવા માટે વિચારીએ છીએ. પરંતુ યાત્રા દરમિયાન મોટાભાગે એક સમસ્યા થાય છે એ છે કબજિયાતની. જી હાં વેકેશન દરમિયાન કબજિયાત થવી એક મોટી સમસ્યા હોય છે. જેના કારણે વેકેશન ખરાબ થવાની સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પેદા કરી શકે છે.
દરેક લોકોનો સવારે એક ફિક્સ ટાઇમ હોય છે જ્યારે તેઓ ફ્રેશ થાય છે. મોટાભાગે ટ્રાવેલ દરમિયાન બાથરૂમ નહીં મળવાને કારણએ અથવા બસથી સફર કરવા પર સ્ટોપ નહીં આવવાથી પણ આ સમસ્યા થવા લાગે છે.
કેટલાક લોકોને ઇન્ફેક્શનની બીકથી પબ્લિક ટોયલેટ શેર કરવાને લઇને ફોબિયા હોય છે એટલા માટે લોકો ટ્રાવેલ દરમિયાન બહાર ટોયલેટ શેરથી બચે છે. આ કારણથી લોકો ટોયલેટ જવાથી પણ બચે છે અને આ કારણથી પણ કબજિયાતની સમસ્યા થઇ જાય છે.
આદુમાં એન્ટીઓક્સીડેન્ટ અને જીન્જેરોલ નામનું તત્વ રહેલું હોય છે. જે તમારી કબજિયાતની સમસ્યાને દૂર રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત આદુ વાળી ચા તમારા બ્લડ સર્કુવેશનને પણ બૂસ્ટ કરે છે અને તમારા પાચનને પણ સારું કરે છે.
જો તમે ટ્રેન અથવા ફ્લાઇટથી ટ્રાવેલ કરી રહ્યા છો તો થોડું ચાલવાનું રાખો કારણ કે એક જગ્યાએ વધારે સુધી બેસવાથી તમારા બોડી માટે સારું રહેતું નથી. થોડા હલનચલનથી તમારી બોડી સ્ટ્રેચ થાય છે.
પાણી તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને સાથે જ તમારા શરીરના ટોક્સિંસને પણ નષ્ટ કરે છે. એટલા માટે ટ્રાવેલ દરમિયાન વધારે પાણી પીવો કારણ કે તમારું પેટ સ્વસ્થ રહે અને તમારે કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે નહીં.
કેફીન અને આલ્કોહોલ તમારા સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી એનું સેવન તમારા પેટની સમસ્યાને વધારે છે.
સ્વસ્થ અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થ તમારું સ્વાસ્થ્ય સારું કરે છે સાથે સાથે કબજિયાતની સમસ્યાને પણ નિયંત્રિત રાખે છે.