બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર અન્વી કામદારનું દર્દનાક મોત, રીલ્સ બનાવતી વખતે 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી
Last Updated: 02:50 PM, 18 July 2024
Aanvi Kamdar Dies : આજના સોશિયલ મીડિયાના જમાનામાં યુવાધન રીલ્સ બનાવવામાં ભાન ભૂલી જતાં હોય છે. જોકે આ પ્રકારની આદતને કારણે અનેક વાર ઇન્ફ્લુઅન્સરનું મોત પણ થતું હોય છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રથી સામે આવી છે. મુંબઈની રહેવાસી અનવી કામદાર જે તેણે બનાવેલી 'રીલ'થી પ્રખ્યાત થઈ હતી મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં વીડિયો બનાવતી વખતે ખીણમાં પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. અનવી 27 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે તેના સાત મિત્રો સાથે ફરવા ગઈ હતી. આ દરમિયાન મંગળવારે વીડિયો બનાવતી વખતે રાયગઢ જિલ્લાના માનગાંવમાં કુંભે ધોધ નજીક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. એક પોલીસ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી.
ADVERTISEMENT
માનગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, મુંબઈના મુલુંડની રહેવાસી અનવી વરસાદ દરમિયાન તેના મિત્રો સાથે ફરવા ગઈ હતી. વ્યવસાયે CA અનવી તેની સોશિયલ મીડિયા રીલ્સ માટે પ્રખ્યાત હતી. અનવી કામદારને ખબર ન હતી કે રીલ બનાવવાની કળાએ તેને લોકપ્રિયતા અપાવી છે તેણી તેના મૃત્યુનું કારણ બનશે. ખરેખર અન્વી 16મી જુલાઈના રોજ તેના 7 મિત્રો સાથે ધોધ પર ફરવા ગઈ હતી. સવારે લગભગ 10.30 વાગ્યે અન્વી એક વિડિયો શૂટ કરી રહી હતી તે કુંભે વોટરફોલ પાસે એક નાની સ્પાઇક પર ગઈ અને રીલનું શૂટિંગ શરૂ કર્યું. ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને તે 300 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગઈ.
ट्रैवल इन्फ्लुएंसर अन्वी कामदार की दर्दनाक मौत, REEL बनाते हुए 300 फीट गहरी खाई में गिरने से गई जान | Aanvi Kamdar #AanviKamdar #reel #viralvideo pic.twitter.com/cWqp9R2EGt
— Priykant Journalist (@Priykantnews) July 18, 2024
ADVERTISEMENT
રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોસ્ટ ગાર્ડની સાથે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના કર્મચારીઓએ પણ મદદ કરી હતી પરંતુ અન્વીને બચાવી શકાઈ નહોતી. અન્વીને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે સંપૂર્ણ દુર્ઘટના રાયગઢ નજીક કુંભે ધોધ પાસે થઈ હતી.
વધુ વાંચો : બોડી શેમિંગને કારણે બેન્કમાં નોકરી કરતી છોકરીએ ગળેફાંસો ખાધો, જાણો શું છે આ?
અનવી કામદારના મૃત્યુ પછી પ્રવાસીઓને અપીલ
ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર અનવી કામદારના મૃત્યુ પછી મનાગાંવ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય સ્થાનિક અધિકારીઓએ પ્રવાસીઓ અને નજીકના લોકોને અપીલ કરી છે. લોકોએ જવાબદારીપૂર્વક પ્રવાસનનો આનંદ માણવો જોઈએ. મુસાફરી દરમિયાન સલામતીને પ્રાથમિકતા આપો. પ્રવાસન સ્થળોએ જોખમી વર્તન ટાળો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.