રેલવેમાં યાત્રા કરનારા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે AC3માં કેટલાક બદલાવ કરવા જઇ રહી છે.
AC3માં થઇ જશે ફેરફાર
ટ્રેનમાં યાત્રા કરનાર લોકોને ભેટ
નવી ડિઝાઇન લખનઉ ટેસ્ટિંગ માટે મોકલાઇ
ટ્રેનના એસી કોચમાં યાત્રા કરનારા લોકોને નવી ભેટ મળવાની છે. રેલવે કોચ ફેક્ટ્રીએ ટેસ્ટિંગ માટે નવા ACCNE કોટ તૈયાર કર્યા છે. ખાસ વાત તે છે તે આ નવા કોચમાં સીટની સંખ્યા પણ વધશે. આ સિવાય નવા ફીચર્સ પણ આવશે, જેની હાલમાં ટેસ્ટિંગ બાકી છે.
રેલવેએ આપેલી જાણકારી અનુસાર નવા કોચમાં સીટ 15.27 ટકા સુધી વધારવામાં આવશે. મિડીયા રિપોર્ટ અનુસાર 2006માં ગરીબ રથમાં એસી3માં સૌથી વધારે સીટ હતી. આ ટ્રેનના એક કોચમાં 74 સીટ હોય છે. હવે આ નવા કોચમાં 83 સીટ હશે.
લેગ સ્પેસમાં કેટલાક ઇંચ વધારવામાં આવી છે. સાથે જ પાર્ટીશનમાં લગાવવામાં આવેલ ચીજોનો આકાર બદલવામાં આવ્યો છે. તેની જાડાઇ ઓછી કરવામાં આવી છે. તે સિવાય બેડ રોલ રાખવાવાળા સ્ટોર, જમવાનુ ગરમ કરવાની જગ્યા અને સ્વિચ બોર્ડને હટાવવામાં આવ્યુ છે.
નવા કોચમાં દિવ્યાંગો માટેની સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમના માટે ખાસ ટોયલેટ બનાવવામાં આવ્યું છે. તે સિવાય બર્થ પાસે હોલ્ડિંગ ટેબલ હશે. સાથે જ મોબાઇલ અને મેગેઝીન માટે જગ્યા. ચાર્જીંગ પોઇન્ટ અને વાંચવાના શોખીન લોકો માટે રિડીંગ લાઇટ પણ હશે.
હાલ બર્થનો એક નમૂનો બનીને તૈયાર થયો છે. હજુ તેનું ટ્રાયલ બાકી છે અને આ કોચને ટેસ્ટિંગ માટે લખનઉ સ્થિત RDSO મોકલવામાં આવશે. અહીં કોચની રફ્તારથી લઇને બ્રેક સુધીની દરેક વસ્તુની તપાસ કરવામાં આવશે. જો દરેક વસ્તુમાં આ કોચ પાસ થશે તો આગળના પ્રોડક્શનની પ્રક્રિયા શરૂ થશે. બની શકે છે કે રેલવેનું ભાડુ પણ ઓછુ થાય.