ગુજરાતમાં GSRTC દ્વારા એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરીની અપાઈ છૂટ, 50 ટકાની જગ્યાએ 75 ટકાની કેપેસિટી સાથે મુસાફરીની છૂટ
એસ.ટી.બસમાં હવે 75 ટકા મુસાફરોને મંજૂરી
75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરીની છૂટ
સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીની મર્યાદામાં થઈ શકશે મુસાફરી
ગુજરાતની એસ.ટી.બસમાં હવે મુસાફરી માટે વધુ છૂટ મળી છે. હવે એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે. 50 ટકાની જગ્યાએ 75 ટકાની કેપેસિટી રાખવામાં આવી છે. સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધીની બસને મુસાફરીની છૂટ અપાઈ છે. મહત્વનું છે કે કોરોના સંક્રમણના કારણે GSRTC દ્વારા સિટિંગ કેપેસિટી ઘટાડી દેવાઈ હતી. અને ઓછા મુસાફરો સાથે બસ ચાલી રહી હતી. તો બીજી તરફ લોકડાઉનના કારણે પણ બસના રૂટોમાં ઘટાડો થયો હતો.
ગુજરાતમાં રાબેતામુજબ St બસની મુસાફરી શરૂ
મહત્વનું છે કે, એસટીમાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર પણ 29 તારીખે સામે આવ્યા હતા. 29 મેથી તમામ એસ.ટી બસ રાબેતામુજબ શરુ થઈ છે. કોરોનાના કેસો ઘટતા નિયમો હળવા થઇ રહ્યા છે. ત્યારે એસટી નિગમ સમગ્ર એસટી બસો શરુ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે કોરોનાના ભયથી મુક્ત થઇ લોકો એસટીમાં મુસાફરી કરવા નીકળ્યા છે. ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર તકેદારીના ભાગરૂપે સેનેતાઇઝર, ટેમ્પરેચર ચેકિંગની વ્યવસ્થા કરાઈ છે. કોરોનાને કારણે એસટી બસોના સંચાલનમાં ઘટાડો કરાયો હતો. જો કે હવે જન જીવન સામાન્ય બની રહ્યું છે.
અમદાવાદમાં પણ AMTS સેવા ફરી શરૂ થઈ શકે છે
તો આ તરફ અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા હતા. જેને લઈને શહેરમાં AMTS-BRTS બસ સેવા બંધ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયગાળાથી ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે, અમદાવાદમાં પણ સ્થિતિ સુધરી છે ત્યારે હવે નગરજનો માટે ખૂબ ઉપયોગી બનતી AMTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવી શકે છે. આ મામલે AMTS ચેરમેન વલ્લભ પટેલે VTV સાથે ખાસ વાતચીત કરી હતી. વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, સિટી બસ સેવાને લઈને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ વહેલી તકે બસ સેવા ફરી રાબેતા મુજબ કરાશે.