ટ્રાન્સપોર્ટની હડતાળનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ ટ્રાન્સપોર્ટની હડતાળ યથાવત છે. દેશભરના ટ્રાન્સપોર્ટ દ્વારા પોતાની અલગ અલગ માંગને લઈને હડતાળ કરવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટર્સના બંધના કારણે દેશમાં કરોડોનો વેપાર ખેરવાયો છે જેના કારણે ગુજરાતમાં પણ વ્યાપક અસર થઈ છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટની હડતાળના કારણે અનેક ઈન્ડસ્ટ્રીના વેપારને પણ અસર થઈ છે.
આ ઉપરાંત દેશમાં ટેક્સટાઈલ હજીરાની કંપનીઓની હેરાફેરી અટકી છે. ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે પેટ્રોલ અને ડિઝલના વેચાણને પણ અસર થઈ છે.
પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં 25 ટકાનો ઘટાડો થયો છે. તમને જણાવી દઇયે કે ટ્રાન્સપોર્ટ બંધ હોવાના કારણે આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ શકે છે.
દેશભરના ટ્રાન્સપોર્ટરો અનિશ્ચિત મુદતની હડતાળ પર છે. જેમાં દેશના લાખો અને રાજ્યના 6 લાખ જેટલાં ટ્રકના પૈડા થંભી ગયા છે. દેશ વ્યાપી ટ્રાન્સપોર્ટ હડતાળને અમદાવાદનાં ટ્રાન્સપોર્ટરોએ ટેકો આપ્યો છે.
સમગ્ર રાજ્યની સાથે અમદાવાદ શહેરનાં 30 હજાર ટ્રકોંના પૈડાં થભી ગયાં છે. સાથે સાથે હડતાલનુ સમર્થન આપતાં લાંબા અંતરે માલસામાનને ટ્રાન્સપોર્ટરોએ સ્વીકારવાનું અને વેપારીઓએ ઇવે-બિલ જનરેટ કરવાનું બંધ કરી દીધું છે.
અમદાવાદ ટ્રાન્સપોર્ટ એસો.ના અગ્રણી જીતુભાઇ સંઘણીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ટ્રાન્સપોર્ટરો ડિઝલના ભાવમાં સતત વાધારો લઇને ચિંતા વ્યકત કરી રહ્યાં છે. કુલ પાંચ માગો સાથે દેશભરના ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતરી ગયા છે.
મુખ્ય માગોઃ - ડીઝલના ભાવમાં દરરોજ નક્કી થાય છે તેનાં સ્થાને દર ત્રણ મહિને તેના ભાવનો રિવ્યુ થવો જોઇએ.
- 3પાર્ટી પ્રીમિયમમાં વધારામાં માટે પારદર્શિતા લાવવાની તેમજ GST નાબૂદ કરવાની પણ ટ્રાન્સપોર્ટરોની માગ.
- ઇન્કમટેક્સ TDS નાબૂદ તેમજ ITએક્ટ 44AE વધું તર્ક સગત બનાવવાની માંગ.
- ઇ-વેબનાં સરણીકરણની માંગ.
- ટોલ પ્લાઝાની નાબુદી કરવાની માંગ.
ટ્રાન્સપોર્ટર હડતાળના કારણે વેપારીઓ દ્વારા ઇવે-બિલ જનરેટ કરવાનું બંધ કરી દીધું છે. જ્યારે ટ્રાન્સપોર્ટર દ્વારા કરવમાં આવેલી માંગો સંતોષાય છે કે પછી ટ્રાન્સપોર્ટર પોતાની માંગ સંતોષવા માટે ઉગ્ર આંદોલન કરવાની નોબત આવે છે તે આવનાર સમય જ નક્કી કરશે.