કોરોના મહામારીને કારણે છેલ્લા ઘણા સમયથી શાળાઓ બંધ હતી. પરંતુ હવે જેમ જેમ શાળાઓ ખુલી તેમ તેમ બાળકોમાં સંક્રમણનું પ્રમાણ પણ વધતું જાય છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે.
શાળાઓ ખુલ્યા બાદ બાળકોમાં સંક્રમણ વધ્યું
સ્વાસ્થ્ય મંત્રાલયે જિલ્લા પ્રશાસનને આપ્યા આદેશ
શાળામાં નિરિક્ષણ કરવાના આપ્યા આદેશ
કોરોના મહામારીને કારણે દેશના મોટા ભાગના રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે ધીરે ધીરે 12 જેટલા રાજ્યોમાં સ્કૂલો ખુલી રહી છે. જોકે શાળાઓ ખુલ્યા બાદ 6 જેટલા રાજ્યોમાં બાળકો સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિડના નિયમોનું પાલન કરવા સલાહ આપવામાં આવી છે.
પંજાબ અને બિહારમાં બાળકો સૌથી વધારે સંક્રમિત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જિલ્લા પ્રસાશસને શાળાઓનું નિરિક્ષણ કરવા આદેશ આપ્યા છે. સાથેજ જ્યા નીયમોનો ભંગ થતો હોય ત્યા કડક પગલા લેવા સુચના આપવામાં આવી છે. પંજાબ અને બિહાર આ બંને રાજ્યો એવા છે કે જ્યા સૌથી વધારે બાળકો સંક્રમિત થયેલા જોવા મળી રહ્યા છે.
સ્કૂલોમાં નિરિક્ષણ કરવાની સૂંચના
દેશમાં પંજાબ સૌથી પહેલું એવું રાજ્ય હતું જ્યા સૌથી પહેલા સ્કૂલો ઓપન કરવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તરાખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી હતી. જોકે છેલ્લા 2 મહિનામાં 17 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોમાં સંક્રમણ વદારે જોવા મળ્યું છે. જેથી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા હવે સ્કૂલોમાં નિરિક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે.
શાળાઓ શરૂ કરવા સમય લેવો જરૂરી
ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધશે તેવું ચર્ચાએ જોર પકડ્યું છે,. જોકે વિશેષજ્ઞોનું કહેવું છે કે આ બધી ચર્ચાઓ અર્થ વગરની છે. કારણકે બાળકોની ઈમ્યુનીટી પાવર મજબૂત હોય છે. પરંતુ વિશેષજ્ઞોનું એમ પણ કહેવું છે કે શાળાઓ શરૂ કરવા માટે હજુ થોડો સમય આપવો જરૂરી છે. જેથી સંક્રમણ પર કાબૂ પણ મેળવી શકાશે .
બાળકોને વેક્સિન મળ્યા બાદ શાળા શરૂ કરવાની સલાહ
ઉલ્લેખનીય છે કે હાલ આપણા ત્યા બાળકો પર વેક્સિન આપવાનું શરૂ પણ નથી કરાઈ જેથી વિશેષજ્ઞોનું કહેવું છે કે એક વાર વેક્સિન આપવાનું શરૂ કર્યા પછી શાળાઓ ખુલે તે વધારે સારુ રહેશે.