ટ્રાન્સજેન્ડર બેનેટે હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. પરતું તેમને ફરિયાદ છે કે તેઓ ગર્ભાવસ્થામાં હતા ત્યારે નર્સ તેમને મોમ કહીને બોલાવતી હતી.
ટ્રાન્સજેન્ડર બેનેટે આપ્યો બાળકને જન્મ
લગ્ન બાદ બાળકની ચાહત
નર્સના માં કહેવા પર તકલીફ
ટ્રાન્સજેન્ડર બેનેટે હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. પરતું તેમને ફરિયાદ છે કે તેઓ ગર્ભાવસ્થામાં હતા ત્યારે નર્સ તેમને મોમ કહીને બોલાવતી હતી.
અમેરિકાના લોસ એન્જીલ્સના રહેવાસી ટ્રાન્સજેન્ડર પુરુષ બેનેટ કાસ્પર વિલિયમ્સે એક બાળકને જન્મ આપ્યો છે. પરંતુ તેમને ફરિયાદ છે કે જ્યારે તેઓ ગર્ભાવસ્થામાં હતા ત્યારે નર્સ તેમને મોમ કહીને બોલાવતી હતી. આ વાત બેનેટને પસંદ પડતી ન હતી. બેનેટ કાસ્પર વિલિયમ્સે એક ઈન્ટરવ્યુમાં ખુદના માં બનવાની સ્ટોરી શેર કરી છે.
37 વર્ષના ટ્રાન્સ જેન્ડર બેનેટ કાસ્પરનું માનવું છે કે દરેક બાળક પેદા કરનાર 'માં' નથી હોતું. પુરુષ હોવા છતાં નર્સ તેમની ગર્ભાવસ્થા દરમિયાન તેમને 'મોમ' કહેવા પર ભાર મુકતી હતી.
લગ્ન બાદ બાળકની ચાહત
બેનેટ જ્યારે 20 વર્ષના થયા તથા નેમનામાં બદલાવની પ્રક્રિયા શરુ થઇ ત્યારે તેમને જાણ થઇ કે તેઓ ટ્રાન્સજેન્ડર છે. આ વચ્ચે સાલ 2017માં તેમની મુલાકાત મલિક સાથે થઇ, જેમની સાથે તેમણે 2019માં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ બંનેએ નિર્ણય લીધો કે તેઓ બાળક પેદા કરવા માંગે છે.
ત્યાર બાદ તેમણે બાળક પેદા કરવા માટે મોજુદા વિકલ્પોની તપાસ કરી. આ માટે બેનેટને ટેસ્ટોસ્ટેરોન હાર્મોન થેરાપી રોકવી પડતી, જે તેઓ ગયા ઘણા વર્ષોથી પોતાની ઓવરીને કાર્ય કરવા માટે સક્ષમ બનાવવા માટે કરી રહ્યા છે.
બેનેટે 2015માં એક સર્જરીના માધ્યમથી પોતાના બ્રેસ્ટ હટાવ્યા હતા, જેમાં તેમના લગભગ 3 લાખ 76 હજારથી પણ વધારે રૂપિયા ખર્ચ થયા હતા. પરંતુ તેમના રીપ્રોડકટીવ સિસ્ટમ પર તેનો કોઈ પ્રભાવ પડ્યો નહી. અંતમાં તેમને નિર્ણય લીધો કે તેઓ ગર્ભ ધારણ કરવામાં કમ્ફર્ટેબલ છે.
ત્યાર બાદ બેનેટે ગર્ભ ધારણ કર્યું. પછી તેમણે સિઝેરિયન સેક્શનના માધ્યમથી એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ તેમણે હટસન રાખ્યું. હટસન લગભગ દોઢ વર્ષનો થઇ ગયો છે.
બેનેટ બ્રેસ્ટ ઓપરેશન વિષે કહી રહ્યા છે કે તેઓ સ્તનોને લઈને ખૂબ જ દુખી હતા, એટલા માટે તેમણે બ્રેસ્ટ હટાવવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે મને શરીરના અમુક હિસ્સાઓને ગુમાવ્યા બાદ પણ ખરાબ ન લાગ્યું. બેનેટે કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે સર્જરી બાદ તેમને કેટલી રાહત મળશે.
બેનેટનું કહેવું છે કે આપણે માતૃત્વના સંબંધમાં નારીત્વને પરિભાષિત કરવાનું બંધ કરવું જોઈએ, કેમકે આ એક ખોટી ધારણા છે કે બધી મહિલાઓ માં બની શકે છે કે બાળક પેદા કરનાર દરેક વ્યક્તિ માં છે.