ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે ફરી એકવાર વિવિધ વિભાગોમાં બદલીના દોર શરૂ થયા છે. ચૂંટણી પ્રક્રિયા પહેલા બદલી અને બઢતીની મોસમ શરૂ થઈ હતી જે બાદ આચાંર સંહિતા લાગી જતા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ બદલી કે બઢતી જોવા મળી ન હતી. પરંતુ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી વાર બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આજે બે આઈએએસની બદલી કરવામાં આવી છે.
બે આઇએએસને બદલીના આદેશ
બે આઇએએસની બદલીના આદેશ કરાયા છે. જેમાં મોના ખંધારને ફાઇનાન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે તો મિલિંદ તોરવણેને ટેક્સ વિભાગના ચિફ કમિશનર બનાવવામાં આવ્યા છે, જુઓ વિગતવાર