રાજ્યના બે IAS અધિકારીને નવી જવાદારી સોંપાઈ છે, આઈ.એ.એસ બી.એમ.પ્રજાપતિને અધિક ઉદ્યોગ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે
બે આઈ.એ.એસ અધિકારીઓની બદલી
બી.એમ.પ્રજાપતિને અધિક ઉદ્યોગ કમિશનર બનાવાયા
બી.પી.ચૌહાણને અધિક સચિવ સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા
રાજ્યમાં આઈ.એ.એસ અધિકારીઓના બદલીના દોર યથાવત જોવા મળી રહ્યાં છે. આજે ફરી રાજ્યમાં બે આઈ.એ.એસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં આઈ.એ.એસ બી.પી.ચૌહાણને અધિક સચિવ સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે. બી.પી.ચૌહાણની ડાયરેક્ટર ઓફ શેડ્યુલ કાસ્ટથી બદલી કરાઈ છે.
બે આઈ.એ.એસ અધિકારીઓ ની બદલી
IAS અધિકારીઓના બદલીના દોરમાં વધુ બે અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં આઈ.એ.એસ બી.પી.ચૌહાણને ડાયરેક્ટર ઓફ શેડ્યુલ કાસ્ટથી બદલી કરીને અધિક સચિવ સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે જ્યારે આઈ.એ.એસ બી.એમ.પ્રજાપતિને અધિક ઉદ્યોગ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે
જુઓ વિગતો...
IAS સોનલ મિશ્રાને કેન્દ્રમાં ડેપ્યુટશન મળ્યું હતું
થોડા દિવસ અગાઉ રાજ્યના ચાર અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ હતી જેમાં સોનલ મિશ્રા દિલ્હીમાં ડેપ્યુટશન પર મોકલાયા છે. સોનમ મિશ્રાને કેન્દ્ર સરકારમા સ્કિલ ડેવલપમેન્ટ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે મિલીન તોરવણેને કમિશનર ગ્રામીણ વિકાસમા બદલી કરવામાં આવી હતી જ્યારે મનોજ દાસ અધિક મુખ્ય સચિવ પંચાયતની વધારાની જવાબદારી અપાઈ હતી. સમીર વકીલ આઈઆરએસને સ્પેશ્યલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષને ચીફ કમિશ્નર તરીકે વધારાનો હવાલો સોંપાયો હતો.
અગાઉ આ અધિકારીઓને બઢતી તેમજ વધારોનો હવાલો સોંપાયો હતો
થોડા દિવસ અગાઉ વિપુલ મિત્રા જીએનએફસીના ચેરમેન તરીકે નિમાયા હતા. ડી જે જાડેજા ચીફ ટાઉન પ્લાનર શહેરી વિકાસ વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. ડૉ. વિપુલ ગર્ગને ડાંગ-આહવા કલેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો હતો જ્યારે એ કે રાકેશને ગૃહ વિભાગનો એસીએસની જવાબદારી સોંપાઈ હતી. કમલ દયાણીને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગનો એસીએસનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. સોનલ મિશ્રાને પંચાયત-ગ્રામિણ વિકાસનો વધારાનો હવાલો સોંપાયો હતો.