રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરાયો છે, 109 જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ છે, મુકેશ પુરી,એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે
ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો
109 જેટલા IAS અધિકારીઓની બદલી
દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન
ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. 109 જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ છે. મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે.
મોટા પાયે બદલી
મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા અને બી એન પાની તેમજ હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરાઈ છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન પણ અપાયા છે.
અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા
રાજ્યના 109 IAS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે. અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા છે. રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી કરાઈ છે. રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ છે. પ્રભોવ જોશી રાજકોટના નવા કલેક્ટર બન્યા છે. વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર બન્યા છે. એ.કે.રાકેશ ACS કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇ છે. મુકેશ પુરી સરદાર સરોવર નર્મદા નિગમના MD તરીકે વધારાનો ચાર્જ સંભાળશે અને અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને ગૃહ વિભાગની જવાબદારી સોંપાઇ છે. આનંદ બાબુલાલ પટેલ રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે.