ગુજરાતમાં એક તરફ હાલ દિવાળીના તહેવારની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો બાદ દિવાળી વેકશન પુરુ થયા પછી વહીવટીતંત્રમાં એકસાથે 60 જેટલા અધિકારીઓની બદલીના ભણકારા વાગી રહ્યાં છે.
ગુજરાત વહીવટી માળખામાં મોટી બદલીના ભણકારા
એકસાથે 60 જેટલા અધિકારીઓની કરાશે બદલી
લાભ પાંચમ બાદ બદલીના ઓર્ડર ઇશ્યુ કરાશે
પ્રાપ્ત મળતી વિગત અનુસાર દિવાળીના વેકશન બાદ ગુજરાત વહીવટી માળખામાં મોટી બદલીના ભણકારા વાગી રહ્યાં છે. જેમાં એકસાથે 60થી વધારે અધિકારીઓની બદલી કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બદલીઓમાં અલગ-અલગ વિભાગના અધ્યક્ષ, જિલ્લા કલેકટરો, DDO, મ્યુનિસપિલ કમિશ્નરો સહિત બોર્ડ કોર્પોરેશનના અધિકારીઓને સમાવેશ થાય છે.
જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ અધિકારીઓની બદલીની સાથે નવ IAS ઓફિસરોની બઢતીની ફાઇલ પણ ક્લિયર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 9 IAS ઓફિસરોના પ્રમોશન માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી તરફથી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.