ગુજરાતમાં IAS અધિકારીઓની મોટાપાયે બદલી કરી દેવાઈ છે. એક સાથે 18 IASની બદલી કરી દેવાઈ છે. જેમાં સૌથી વધુ ચર્ચિત અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં જયંતી રવિ, પંકજ કુમાર, રાજીવ ગુપ્તા, વિજય નહેરા, સુનૈના તોમર, કમલ દયાણી સહિતના 26 IASની બદલી અને બઢતી કરાઈ છે.
IAS રાજીવ ગુપ્તાની બદલી
રાજીવ ગુપ્તાની ગાંધીનગર ખાતે બદલી કરી દેવાઈ છે. ગુજરાતમાં ચર્ચીત IAS રાજીવ ગુપ્તાને ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ વિભાગની જવાબદારી સોંપાઈ છે. જે અગાઉ વન વિભાગની જવાબદારી નિભાવી રહ્યા હતા. આ દરમિયાન તેમનું એક ટ્વીટ બહુ ચર્ચામાં આવ્યું હતું. આફ્રિકાના સિંહોનો વીડિયો પોસ્ટ કરીને ગીરના સિંહો હોવાનું દર્શાવ્યું હતું. જેને લઈ આ વીડિયો ફેક હોવાથી લોકોએ ખૂબ ટ્રોલ કર્યા હતો. રાજીવ ગુપ્તાને જે માઇન્સ વિભાગની જવાબદારી આપી છે તે જગ્યા પર અગાઉ મનોજ કુમાર દાસને વધારાનો ચાર્જ સોંપાયો હતો.
IAS વિજય નેહરાની પણ બદલી
IAS વિજય નેહરાની પણ બદલી કરવામાં આવી છે. વિજય નહેરાને ગાંધીનગર ગ્રામીણ વિભાગમાંથી ખસેડીને વિજ્ઞાન વિભાગમાં મૂકાયા છે. તો વિજ્ઞાન વિભાગમાંથી હરીત શુક્લાને ખસેડીને ઉદ્યોગ વિભાગમાં મૂકાયા છે. વિજય નેહરા અમદાવાદમાં લોકો વચ્ચે જે IASની છબી બની હતી. એ વિજય નેહરા પણ કોરોનાકાળ દરમિયાન ચર્ચામાં રહ્યા હતા. અમદાવાદ મનપાના કમિશનર વિજય નેહરાની કામગીરીને લઈ તેઓ સતત ચર્ચામાં રહેતા હતા. પરંતુ વિજય નેહરાના એક નિવેદન પછી તેની મુશ્કેલી પણ વધી હતી. વિજય નેહરાનું નિવેદન નેશનલ લેવલે ગાજ્યું હતું જેમાં તેમણે અમદાવાદમાં 15 મે 2020 સુધી 50,000 કોરોનાના કેસ થવાની શક્યતા દર્શાવી હતી. કહેવાય છે કે આ નિવેદનથી અને તેમની કામગીરીમાં પણ કોઈ સુધારો ન દેખાતા રૂપાણી સરકાર નારાજ થઈ હતી.
જયંતિ રવિએ કેન્દ્ર સરકારને અરજી કરી હતી
ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીમાં ગુજરાતમાં સૌથી વધારે ચર્ચામાં રહેનાર અધિકારીઓમાં જયંતી રવિનું નામ સૌથી ઉપર આવે છે. ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ હોવાના નાતે સ્વાસ્થ્યની જવાબદારીઑ તેમના શિરે હતી. જોકે મહામારીમાં રૂપાણી સરકાર તેમનાથી નારાજ થઈ હોવાનું પણ વચ્ચે સામે આવ્યું હતું ત્યારે મૂળ તમિળનાડુના IAS અધિકારીએ પ્રતિનયુક્તિ માંગી હતી.
જયંતી રવિ દ્વારા કરવામાં આવેલ માંગ બાદ કેન્દ્ર દ્વારા પ્રતિનયુક્તિ પર આદેશ આપી દેવામાં આવ્યા છે. 1991ની બેચના IAS જયંતી રવિની હવે ગુજરાતમાંથી તમિલનાડુમાં બદલી કરવામાં આવી છે. જયંતી રવિને હવે એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે વિખ્યાત ઓરોવિલા ફાઉન્ડેશન મહર્ષિ અને આઝાદીના લડવૈયા મહર્ષિ અરવિદ દ્વારા સ્થપાયેલા ઐતિહાસિક આશ્રમનું સંચાલન કરે છે.
VTVના અહેવાલ પર મહોર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બ્યૂરોક્રેસીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એકી સાથે ગુજરાતના 26 IASની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે જ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. VTV ન્યૂઝના અગાઉના એક્સક્લુઝિવ અહેવાલ પ્રમાણે સરકારે 18 અધિકારીઓની બદલી કરી છે જ્યારે 8 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી આપવામાં આવી છે. ફરી વખત VTVની ખબર પર સરકારની મહોર લાગી છે.
1986ની બેચના IAS પંકજ કુમારની બદલી ગૃહમંત્રાલયમાં કરવામાં આવી છે. તેમને ગૃહ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. વિપુલ મિત્રાને પંચાયત અને ગ્રામીણ મકાન વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. રાજીવ ગુપ્તાને ઉદ્યોગ અને ખનીજ વિભાગમાં અધિક મુખ્ય સચિવ બનાવાયા છે.
4 જૂને VTVએ આપી હતી એક્સ્ક્લુઝિવ ખબર
ઉલ્લેખનીય છે કે 4 જૂનના રોજ VTVએ એક્સક્લુઝિવ માહિતી આપી હતી કે ગુજરાતમાં ટૂંક સમયમાં મોટા પાયે IAS અધિકારીઓની બદલી થવાની છે. જેના પગલે આજે સત્તાવાર બદલી અને બઢતીની જાહેરાત કરાઈ હતી. ફરી એક વખત આ જાહેરાત સાથે VTVની ખબર પર સરકારી મહોર લાગી હતી.