સંયુક્ત અરબ અમીરાત (UAE)માં કામ કરનારા ભારતીયો અને પર્યટકો માટે એક સારા સમાચાર છે. હવે દુબઇના તમામ એરપોર્ટ પર ભારતીય મુદ્રા 'રૂપિયા' માં લેવડદેવડ કરી શકશે.
ભારતીય મુદ્રા દુબઇ એરપોર્ટના 3 ટર્મિનલ અને અલ મુખ્તમ એરપોર્ટ પર ભારતીય રૂપિયા લેવાના શરૂ કરી દીધા છે. અહીંયા સ્થિત ડ્યૂટી ફ્રી દુકાનના કર્મચારીએ ગલ્ફ ન્યૂઝમાં આ વાતની પુષ્ટિ કરી.
દુબઇ એરપોર્ટ પર ભારતીય મુદ્રાની લેવડદેવડને સ્વીકાર કરવી દેશના પર્યટકો માટે સારા સમાચાર છે અગાઉ કરન્સી એક્સચેન્જ કરાવવા માટે પર્યટકોને મોટી રકમ ખર્ચ કર કરવી પડતી હતી. એક્સચેન્જ રેટ્સને કારણે તેમને વધારે નુકસાન થતુ હતુ.
ગલ્ફ ન્યૂઝ અનુસાર, ગત વર્ષે દુબઇ એરપોર્ટ પરથી 9 કરોડ પર્યટકો આવ્યા જેમાંથી 1.22 કરોડ ભારતીયો હતો. ભારતીય પર્યટકોએ રૂપિયાને ડોલર, દિરહામ અને યુરોમાં કન્વર્ટ કરવો પડતો હતો જેથી તે ડ્યૂટી ફ્રી શોપ્સમાંથી ખરીદી કરી શકે. ભારતનો રૂપિયો એવી 16મી કરન્સી છે જે દુબઇની ડ્યૂટી ફ્રી શોપ પર સ્વીકારાશે.
ખલીજ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર દુબઈની ડ્યુટી ફ્રી શોપ પર 47 દેશોના 6000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. તેમાં ભારતીયોની સંખ્યા બીજા ક્રમે છે. 2018માં 2.40 લાખ જેટલા ભારતીયોએ દુબઇની ઓવરનાઇટ મુલાકાત લીધી હતી. દુબઇમાં ડ્યૂટી ફ્રીને કારણે હાલના સમયમાં 47 વિભિન્ન દેશોના 6000થી વધારે કર્મચારીઓને રોજગારી મળી છે જેમાં ભારતીયોની સંખ્યા વધારે છે.