પાકિસ્તાનમાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી છે. જેમાં બે ટ્રેનો અથડાતા આ ઘટના બની છે.
પાકિસ્તાનમાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી
અત્યાર સુધી 33 લોકોના મોત થયા
50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે
પ્રવાસીઓને 2 ટ્રેનો મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો
પાકિસ્તાનમાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી છે. જેમાં અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટના સિંઘ પ્રાંતના ડહારકીમાં બની છે. આ જગ્યા અહીં ઘોટકી જિલ્લામાં સ્થિત છે. જ્યાં પ્રવાસીઓને 2 ટ્રેનો મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો છે. 33 લોકોના મોતની પુષ્ટિ જિલ્લાના ડેપ્યૂટી કમિશ્રરે કરી છે. તેવાાં કહેવામાં આવી રહ્યુ છે કે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
At least 30 people died and several sustained injuries as Sir Syed Express train collided with Millat Express between Reti and Daharki railway stations in Ghotki, reports Pakistan's ARY News
ઘટના સવારના સમયે ડહારકી રેલવે સ્ટેશનની પાસે થઈ છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે અનેક લોકો ટ્રેનની અંદર ફસાયેલા છે. જેમને કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એવું મનાઈ રહ્યુ છે કે થોડાક કલાકોમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ઘટનાની જાણકારી મળતા રેસ્ક્યૂ દળ ઘટના સ્થળે પહોંચી રાહત કામ શરુ કર્યુ છે. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ નથી જણાવી શકતા કે ટ્રેન સેવા ફરી શરુ થવામાં કેટલો સમય લાગશે. અહીંથી પસાર થનારી તમામ ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે.
માર્ચમાં થઈ હતી ઘટના
આ પહેલા આ વર્ષે માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં રેલ દુર્ઘટના બની હતી. જ્યાં કરાચી એક્સપ્રેસ ટ્રેન ઘટનાનો શિકાર બની હતી. આ ટ્રેન લાહોરથી નીકળી હતી અને સુક્કુર પ્રાંતમાં ઘટનાનો શિકાર બની હતી. તેના આઠ કોચ પટરી પરથી ઉતરી ગયા હતા. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતુ. જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન પણ અનેક લોકો ટ્રેનમાં ફસાયા હતા. તેમજ આ રુટની ટ્રેનો રદ્દ કરાઈ હતી.
પાકિસ્તાનમાં હાલના દિવસોમાં અકસ્માત વધી રહ્યા છે. એક દિવસ પહેલા દેશના ઉત્તર પશ્ચિમમાં પર્વતીય રસ્તામાંથી એક મિનીવૈન નદીમાં પડી, જેમાંથી 7ના મોત થયા 3 ઘાયલ થયા હતા. આ મામલાની માહિતી આપતા પાકિસ્તાની બચાવ સેવાના પ્રવક્તા અહમજ ફૈજીએ જણાવ્યુ તે વાહન ખેબર પખ્તૂનખા પ્રાંતમાં માનસેહરા જિલ્લામાં સિરેન નદીમાં પડી હતી. આ ઘટના વળાંક પર વાહન ધીમુ કરવાની જગ્યાએ સ્પીડ વધારવાના કારણે બની હતી.