ઉત્તર ગુજરાતના ખેરાલુ -સિદ્ધપુર રોડ પરથી પસાર થઇ રહેલું એક ટેન્કર પલટી જતા પાંચ વ્યક્તિ દબાઈ ગયા.ત્રણના મોત. ટ્રેલર નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી
ખેરાલુ-વિસનગર રોડ પર ગમખ્વાર અકસ્માત
કપચી ભરેલું ટ્રેલર પલટાતા ત્રણ વ્યક્તિના મોત
બાજુમાંથી પસાર થઈ રહેલા બાઈક ચાલક ભોગ
ઉત્તર ગુજરાતના ખેરાલુ-વિસનગર રોડ પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. એક ટ્રેલર કપચી ભરીને સિદ્ધપુર તરફ જઈ રહ્યું હતું તે અચાનક પલટી જતા બાઈક પર સવાર બે વ્યક્તિ સહીત પાંચ લોકો ટ્રેલર નીચે દબાયા હતા. જેમાંથી ત્રણના મોત નીપજ્યા છે.
માર્ગ અકસ્માતની વિગત પ્રમાણે ઉત્તર ગુજરાતના ખેરાલુ -સિદ્ધપુર રોડ પરથી પસાર થઇ રહેલું એક ટેન્કર પલટી ગયું હતું. આ ટ્રેલર કપચી ભરીને જઈ રહ્યું હતું અને કહેવાય છે કે, ટ્રેલર 'ઓવર લોડેડ' હતું. ભારેખમ ટ્રેલર સિદ્ધપુર તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક પલટી ગયું હતું. બાજુમાંથી પસાર થઈ રહેલા મોટર સાઈકલ સવાર,કઈ સમજે વિચારે તે પહેલા ટ્રેલર નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકો ટ્રેલર નીચે દબાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જેમાંથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. ઘાયલ વ્યક્તિઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા.
માલવાહક ટેન્કર ટ્રેલર 22 વ્હીલ ધરાવતું હતું અને ટ્રેલર નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી