સુમેરપુર-શિવગંજ ફોરલેન હાઇવે આજે ટ્રેક્ટર સાથે ટ્રેલર અથડાતા બનાસકાંઠાના વતની 7 લોકોના મોત નિપજ્યાં છે.
રાજસ્થાનમાં પાલી જિલ્લામાં મોટી દુર્ઘટના
ટ્રેક્ટર સાથે ટ્રેલર અથડાતા 7 લોકોના મોત
તમામ લોકો બનાસકાંઠાના વતની
રાજસ્થાનમાં પાલી જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટતા હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં ટ્રેક્ટર સાથે ટ્રેલર કોઈ કારણસર ધડાકાભેર અથડાયુ હતું આ કરુણાંતિકામાં એક સાથે 7 લોકોને કાળ ભેટી જતાં માર્ગ મરણ ચીસોથી ગુંજ્યો હતો. આ ગંભીર ઘટનામાં મૃતક તમામ લોકો બનાસકાંઠાના વતની હોવાનું સામે આવતા વતનમાં પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે.
ગુજરાતથી રામદેવરા દર્શન માટે જઇ રહ્યાં હતા
સુમેરપુર-શિવગંજ ફોરલેન હાઇવે આજે પર બનાસકાંઠાના વતની ટ્રેક્ટર લઈ જન્માષ્ટમી પર્વ નિમિતે રામદેવરા દર્શન માટે જઇ રહ્યાં હતા. આ વેળાએ ટ્રેક્ટર સાથે ટ્રેલર કાળ બનીને અથડાયુ હતું જેમાં 7 લોકોના કમકમાંટીભર્યા મોત નિપજ્યાં હતા. ઉપરાંત 25થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.આ અંગે જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
25 થી વધુ ઇજાગ્રસ્ત
પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશનમાં શુક્રવાર મોડી સાંજે એક બેકાબૂ ટ્રેલરે રામદેવરા જઇ રહેલા યાત્રાળુઓથી ભરેલ ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી દીધી. દુર્ઘટનામાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે. જ્યારે 20થી 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સૂચના મળતા જ પોલીસે ઇજાગ્રસ્તોને સુમેરપુર અને શિવગંજની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
રાજસ્થાન અકસ્માત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ. તેમણે લખ્યું કે, રાજસ્થાનના પાલીમાં અકસ્માત થયો છે, તે ખુબ દુઃખદ છે. મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
The accident in Pali, Rajasthan is saddening. In this hour of grief, my thoughts are with the bereaved families. I pray for a speedy recovery of those injured: PM @narendramodi